________________
ત્યાં સુધી કે ભોજન બનાવવાનું, ખાવાનું અને દરેક કામ કરનારો યંત્ર-માનવ તેમજ યાંત્રિક સાધન વિજ્ઞાનની કળાથી ઉપલબ્ધ છે. ભૌતિક સુખમાં કોઈ ઓછપ નથી, પરંતુ આવા વર્ગમાં આધ્યાત્મિક્તા કે ધર્મનું નામોનિશાન હોતું નથી. બધા પોતપોતાના સ્વાર્થમાં રચ્યા-પચ્યા રહે છે, ત્યાં સુધી કે માતા-પિતા અને સંતાનોના સંબંધો અને વ્યવહાર પણ સ્વાર્થી બની ગયા છે. આની સાથે ધૃણા, દ્વેષ, વેર-વિરોધ, કલહ, શોષણ, દંભ, દેખાડો, ખોટી પ્રસિદ્ધિ લૂંટ અને હત્યાની કળાની બોલબોલા છે. જીવનમાં દુર્બસનોની જાળ બિછાવેલી છે. ઇન્દ્રિયોનો અત્યાધિક દુરુપયોગ અને વિષયાસક્તિને કારણે બીમારી, બેચેની અને માનસિક અશાંતિ છે.
બીજા વર્ગના જનસમૂહ પાસે આટલાં વૈજ્ઞાનિક સાધનો ઉપલબ્ધ નથી, જોકે જમાનાની હવા આવા વર્ગને પણ લાગી છે, પરંતુ એ વર્ગ પાસે પ્રાચીન ભૌતિક કળાઓની સાથે ધર્મમય જીવન જીવવાની કળા પણ છે. અહીં ઈર્ષા, દ્વેષ, અહંકાર અને સ્વાર્થોધતા જેવા દુર્ગુણો શોધ્યા જડતા નથી. આ પ્રકારનો જનસમાજ સુખદુઃખમાં પરસ્પરને સહાયરૂપ બનવા, જીવનમાં અન્યને કાજે ત્યાગ કરવા, સહયોગ આપવા કે સહાનુભૂતિ પ્રગટ કરવામાં તથા ઇન્દ્રિયોના વિષયો (આહાર, એશઆરામ વગેરે) પર સંયમ રાખવાની ધર્મકળામાં આવો વર્ગ સક્રિય હોય છે. તેઓ શાંતિપૂર્વક સંતોષથી જીવન વ્યતીત કરે છે. અલ્પ સામગ્રીથી પોતાનું જીવન સુખદ બનાવવાની તેમનામાં આવડત છે.
તમને પૂછવામાં આવે કે તમે સમાજના આ બે પ્રકારના વર્ગમાંથી ક્યા વર્ગમાં રહેવાનું પસંદ કરશો ? તમે વિજ્ઞાનકળામાં અને સાથે દુર્ણની સંપાદનકળામાં પારંગત સમાજમાં રહેવા ઇચ્છશો કે અલ્પસાધનોથી સંતોષ અને શાંતિપૂર્ણ જીવન વ્યતીત કરનાર અને સંયમમય ધર્મકળામાં સારી રીતે નિપુણ સમાજમાં રહેવા ઇચ્છશો ?
પ્રથમ પ્રકારના સમાજમાં સુખનાં અતિશય સાધનો ઉપલબ્ધ હોવા છતાં ધર્મકથાના અભાવને કારણે ત્યાં સુખનો આભાસ કે ક્ષણિક સુખ છે, જ્યારે બીજા પ્રકારના સમાજમાં સુખનાં સાધનો અલ્પ હોવા છતાં પણ અલ્પસાધનોથી સંયમ અને સ્વાર્થ-ત્યાગપૂર્ણ જીવન વ્યતીત કરવાની ધર્મકળા હોવાથી સર્વને સાચું અને સ્વાધીન સુખ પ્રાપ્ત થાય છે. આનું તારણ એ છે કે બીજી કળાઓ- પોતે સુખદાયક નથી, જ્યારે ધર્મકળા ધર્મકળામય જીવન
૨૦૯