________________
“ઓ શેઠ, બહુ ભૂખ્યો છું, કંઈક તો ઠંડું-વાસી ખાવા આપો. ભગવાન તમારું ભલું કરશે.”
હવે તો શેઠના મગજનો પારો આસમાને પહોંચી ગયો. તેમણે વિચાર્યું કે આ બલા અહીંથી એમ સહેલાઈથી નહીં ટળે. શેઠે ત્વરાથી બાજુમાં રાખેલી ઠંડા પાણીની માટલી એ ભિખારી પર ઢોળી દીધી. બસ ! હવે શું થાય ? એક તો અસહ્ય ઠંડી અને તેમાં વળી ઉપરથી શેઠ તરફથી મળેલો આ ઠંડા પાણીનો પ્રસાદ !
ઠંડીથી થરથર કાંપતો ભિખારી બિચારો પોતાનો જીવ બચાવવા માટે પાસેનું એક ખૂણામાં લપાઈને બેસી ગયો. તેનું નાનું બાળક ધ્રુસકાં -: જ જીવન લાગ્યું. વૃદ્ધ ભિખારી દુઃખી ગીત ગાતા-ગાતો ભગવાનને છે. કરવા લાગ્યો.
એટલામાં મિલની સાયરન વાગી. મિલમાં જનારા મજૂરોએ તે વૃદ્ધ ભિખારીની કરુણ હાલત સાંભળી. તેમનું હૃદય દ્રવિત થઈ ગયું. તે મજૂરોએ થોડી થોડી રકમ ભેગી કરીને તે ભિખારીને સારી એવી રકમ આપી અને મિલ તરફ ચાલી નીકળ્યા. ભિખારી પણ અંતરથી તેમને આશીર્વાદ આપતો આગળ વધ્યો. સંયમ અને અપરિગ્રહનો આરાધક
પોતાની કીર્તિ-પ્રસિદ્ધિ માટે હજારો રૂપિયાનો ધુમાડો કરનાર કઠોર હૃદયના વ્યક્તિ પુણવાન ગણાય કે પછી દરિદ્ર અને દુઃખીને જોઈને પીગળી જનાર, બહારથી ગરીબ પરંતુ હૃદયના અમીર પુણ્યશાળી ગણાય ? વાસ્તવમાં ગરીબ પરંતુ હૃદયના ઉદાર જ પુણ્યવાન ગણાય. આથી એક રાજસ્થાની કવિએ કહ્યું છે –
दया धर्म पावे तो कोई पुण्यवंत पावे । ज्यां ने दया की बात सुहावे जी ॥ भारीकर्मा अनन्त संसारी ।
वांने दया दाय न आवे जी ॥ કેટલીક વ્યક્તિઓ પોતાના ધન, સત્તા, પદ કે કુળ પર ગર્વ રાખીને સેવાના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરનારને પુણ્યહીન સમજે છે. પોતે સ્વયં તો પરાવલંબી તથા પ્રમાદી બનીને પડી રહેતા હોવા છતાં પણ પોતાને આ પુણ્ય અને પાપનું રહસ્ય
૨૫૩