________________
તે એના મનને ઘણી પીડા આપે છે અને હૃદયના ભાવને સતત ગ્લાનિમય રાખે છે. પાપકર્તાના ચિત્તમાં પ્રસન્નતા, ઉલ્લાસ કે સુખની અભિવ્યક્તિ પ્રગટતાં નથી, જ્યારે પુણ્યકાર્ય કરનારના મનમાં ભય, ખેદ, ક્લેશ, પસ્તાવો કે લોભ હોતા નથી. પુણ્યકાર્ય મનમાં ખૂંચતું નથી. આના પરથી દરેક વ્યક્તિ કલ્પના કરી શકે છે કે પુણ્ય શું છે અને પાપ શું છે ?
પુણ્યવાનનો અર્થ
અનેક લોકોને મનુષ્ય શરીર, ઉત્તમ કુળ, આર્યદેશ, પરિપૂર્ણ પંચેન્દ્રિય વગેરે પ્રાપ્ત થાય છે એટલે પુણ્યશાળીમાં કોઈ ક્ષતિ દેખાતી નથી. છતાં આવા સંયોગ ધરાવનારા લોકો દરિદ્ર, મંદબુદ્ધિ, અપુત્ર, કુભાર્યાવાન અથવા કુપુત્રી કેમ જોવામાં આવે છે? એવા સુંદર સંયોગ પામનારી વ્યક્તિઓ દુઃખી જણાય, ત્યારે એમ કેમ ન કહેવાય કે આ વ્યક્તિ પુણ્યહીન છે? આ વાત એવી છે કે સામાન્ય રીતે દરેક મનુષ્યને આ બધા સંયોગો પૂર્વકૃત પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે, તુ વર્તમાનમાં તેમને વાસ્તવિક રૂપમાં પુણ્યવાન કહેવાતા નથી. જેનામાં પુણ્યની અધિકતા હોય અથવા જેસ્વા પુણ્યનું ઉપાર્જન અધિક માત્રામાં કરી રહ્યા હોય તે જ વર્તમાન સમયમાં પુણ્યવાન કહેવાય.
પુણ્યવાન' શબ્દ અધિક પુણ્યના અસ્તિત્વનો ઘોતક છે. જેવી રીતે પચાસ પૈસા કે એક રૂપિયો ધરાવનાર ધનવાળો હોવા છતાં પણ ધનવાન ગણાતો નથી, ધનિક એ જ કહેવાય છે કે જેની પાસે વધારે ધન હોય અને તે પણ સમાજના વર્તમાન ધોરણો કરતાં અમુક વિશેષ માત્રામાં હોય. એ રીતે પુણ્યવાન એ કહેવાય છે કે જેની પાસે પુણ્યની પ્રચુર માત્રા હોય અથવા જે પ્રચુર માત્રામાં પુણ્યનું ઉપાર્જન કરી રહ્યો હોય.
આ દષ્ટિએ કોઈ વ્યક્તિને ધનાઢ્ય હોવાથી કે પત્ની-પુત્રવાળો હોવા છતાં પણ એને તત્કાળ પુણ્યવાન કહી શકાય નહીં. કોઈ ચોરી, ડાકુગીરી કે નિંદ્યકર્મ કરીને પણ ધન એકઠું કરી લે છે. શું એ પાપકર્મ દ્વારા એકત્રિત કરેલા ધનને ભોગવતા ધનિકને પુણ્યવાન કહેશો ? કોઈને પત્ની મળી ગઈ કે પુત્ર મળી ગયો, પરંતુ તે સદાય બીમાર જ રહેતાં હોય રપ૦
રત્નત્રયીનાં અજવાળાં