________________
કેટલાંક એવાં પણ ઘર હોય છે, કે જ્યાં કર્કશા, અને કલહપ્રિય પત્ની અને અવિનયી તથા માતાપિતાને મારતા, સતાવતા અને દુઃખ પહોંચાડતા પુત્ર હોય છે. - સવાલ એ છે કે આવી વિષમતા શા માટે? આ વિષમતા શું કોઈ બીજાએ સર્જી છે કે સ્વયંસર્જિત છે? આના પ્રત્યુત્તરમાં જ્ઞાની-પુરુષોનું કહેવું છે કે આ વિવિધ પ્રકારની વિષમતાઓ અને વિચિત્રતાઓ પુણ્ય અને પાપના કારણે દષ્ટિગોચર થાય છે. મનુષ્યએ સ્વયં તે સર્જેલી છે. પૂર્વજન્મમાં કે આ જન્મમાં પણ પૂર્વકાળમાં શુભકાર્ય કરેલાં હોય તેનાં એ શુભકાર્યોનાં કારણે પુણ્યબંધ થાય અને તે જ પુણ્યસંચયનું ફળ તેને સુખ, ધન-ધાન્ય, યશ, બળ, મિત્ર, સુકુળ, ઉચ્ચ વર્ણ, ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ પ્રજ્ઞા, પરિપૂર્ણ પંચેન્દ્રિય, સુરૂપતા, ઉત્તમ સંસ્કારી પત્ની, દાસ-દાસી, પશુ-ધન, ઉત્તમ મકાન અને સુસંસ્કાર આદિ શુભવસ્તુઓના રૂપમાં મળે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે:
खेत्तं वत्यु हिरण्यं च पसवो दास-पोरुसं । चत्तारि कामखंधाणि तत्थ से उववजई ॥ मित्तवं, नाइवं होइ उच्चागोए य वण्णवं ।
अप्पायंके महापन्ने अभिजाए जसो बले ॥ વિષમતાનું રહસ્ય
વ્યક્તિ પૂર્વજન્મમાં કે આ જન્મના પૂર્વકાળમાં ખરાબ કર્મ કરતો આવ્યો હોય, તેને એ દુષ્કર્મોના કારણે પાપબંધ થાય. એ જ પાપપુંજના ફળસ્વરૂપ દુઃખ, દરિદ્રતા, ભૂખ, અશક્ત ઈદ્રિયો, કુરૂપતા, કુપુત્ર, કુભાર્યા, ખરાબ ફળ, સારા મિત્રોનો અભાવ, કુસંસ્કાર, ખરાબ ક્ષેત્ર અને વાતાવરણ આદિ વસ્તુઓ પ્રાપ્ત થાય છે.
સામ્યવાદમાં માનનાર કે નાસ્તિકો આ વાતને સ્વીકારતા નથી. તેઓ કહે છે કે આ તો ધનપતિઓ અને રાજાઓ આદિનો પ્રચાર છે. તેઓ ધર્મના ઠેકેદારો પાસેથી એવું કહેવડાવે છે, કે જેથી દીન-હીન, દરિદ્રમજૂર લોકો પોતાની એ જ દુઃખી પરિસ્થિતિમાં રહે અને પોતાના ભાગ્યને દોષ આપતા રહે તથા ધનપતિઓની ગુલામી કરતા રહે. આમાંથી ક્યારેય બહાર આવી શકે નહીં કે વિકાસ કરી શકે નહીં. પરંતુ આ એક ભ્રાંતિ
આ
જ છે પણ
રત્નત્રયીનાં અજવળ .