________________
પુણ્ય અને પાપનું રહસ્ય
આ જગતને જોઈએ છીએ, ત્યારે એક વ્યક્તિ સુખી અને બીજી વ્યક્તિ દુ:ખી દેખાય છે. આ રીતે ધનિક અને નિર્ધન, સુંદર અને અસુંદર, નિરક્ષર અને સાક્ષર, ઉત્તમ કુળમાં જન્મેલો અને અધમ કુળમાં જન્મેલો એવા ભેદ દેખાય છે. એટલું જ નહીં, માનવસમૂહમાં પણ ઘણા એવા સ્થળે જન્મ લે છે કે જ્યાં તેમને ધર્મના કોઈ સંસ્કાર સાંપડતા નથી અને ઘણા ઉત્તમ સંસ્કારપૂર્ણ જગ્યાએ જન્મ લે છે, જ્યાંથી તેમને જીવનવિકાસ અને ધર્મસંસ્કાર સાંપડે છે.
કેટલાક લોકો અનેક મિત્રો અને ઘણા સંસ્કારી પરિવારની વચ્ચે વસે છે, તો ઘણા એવા પણ છે કે જે ઘરમાં પતિ-પત્ની સિવાય કોઈ હોતું નથી. વળી તેઓ પણ વૃદ્ધ થવા છતાં કોઈ તેમની સેવા કરનાર હોતું નથી. કેટલીક વ્યક્તિના ઘરમાં ધન-ધાન્યના ઢગલા હોય છે અને કોઈ ઘરમાં એક ટંકનું ભોજન થાય તેટલું અનાજ પણ હોતું નથી. કેટલાકના ઘરમાં આશાંતિ નોકર-નોકરાણી હોય છે, જ્યારે કેટલાકને ઘરમાં કોઈ પાણી પિવડાવનાર પણ હોતું નથી. કોઈકના ઘરમાં સારી પરિસ્થિતિ, આજ્ઞાકારી, પતિવ્રતા અને સુસંસ્કૃત પત્ની
અને વિનયી તથા સેવાભાવી પુત્ર-પુત્રીઓ છે. પુણ્ય અને પાપનું રહસ્ય
૨૪૩
૧૫
કલાક