________________
પડવાથી અથવા દાંતમાં ફાંસ ભરાઈ જવાથી આપણને તે ખટકે છે, આપણે માટે તે અસહ્ય બની જાય છે, તેવી જ રીતે ધર્મકળાવિહીન જીવન આપણને અસહ્ય લાગવું જોઈએ. પ્રત્યેક પ્રવૃત્તિ ધર્મમય
જેના જીવનમાં ધર્મકળા પ્રગટે છે, તેનું જીવન દરેક ક્ષેત્રમાં ધર્મથી ઓત-પ્રોત હોય છે. પછી તે સામાજિક ક્ષેત્ર હોય કે આર્થિક, રાજનીતિનું ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક વિદ્યાનું ક્ષેત્ર હોય કે સંસ્કૃતિનું કોઈ પણ ક્ષેત્રમાં એ ધર્મ કે ધર્મમર્યાદાની વિરુદ્ધ કામ નહીં કરે. તેની પ્રત્યેક પ્રવૃત્તિ ધર્મકળામય હશે. ભોજન, વસ્ત્રપરિધાન, વિચાર અને વ્યવહારમાં તે સદૈવ ધર્મને મોખરે રાખશે.
મર્યાદાપુરુષોત્તમ શ્રીરામનું જીવન ધર્મકળામય હોવાથી તેમણે પોતાના માટે નિશ્ચિત અને ઘોષિત રાજ્યલાભને પણ ધર્મપાલન માટે ઠોકર મારીને સહર્ષ વનવાસ સ્વીકાર્યો. આ વનવાસમાં પણ તેમને ચલિત કરવા માટે અનેક ભય અને પ્રલોભનો આવ્યાં, પરંતુ તે તેની જાળમાં ફસાવાને બદલે ધર્મના માર્ગ પર અડગ રહ્યા.
શ્રીરામના પરિવારમાં ધર્મકળા જીવિત હોવાથી તેમના પરિવારની દરેક વ્યક્તિમાં સ્વાર્થત્યાગની ભાવના પ્રબળ હતી. જ્યાં સ્વાર્થત્યાગ, સંયમ અને તપની ભાવના પ્રબળ હોય ત્યાં સમજી લેવું કે ધર્મકળા આવી ગઈ ! શ્રીરામના પરિવારમાં પરસ્પરને આપવાની ભાવના હતી, લેવાની નહીં. પિતા, માતા, નાના અને મોટા ભાઈઓ, ભાઈઓની પત્નીઓ બધાં ધર્મના રંગે રંગાયેલાં હતાં.
આથી ભરત કહેતા હતા, “અયોધ્યામાં રાજ્ય હું નહીં લઉં.” અને શ્રીરામ કહેતા હતા, “હું અયોધ્યાના સિંહાસન પર બેસી નહીં શકે.”
આ આપવાની લડાઈ હતી, લેવાની નહીં. જ્યાં આપવાની લડાઈ હોય ત્યાં કર્તવ્ય-ભાવના આવે છે અને લેવાની લડાઈ હોય છે, ત્યાં અધિકાર-ભાવના આવે છે. કર્તવ્યભાવના ધર્મનું અંગ છે અને અધિકારભાવના સ્વાર્થનું.
સત્યવાદી હરિશ્ચંદ્રનું નામ જાણીતું છે. ધર્મકળામાં રત હોવાથી સત્ય માટે રાજપાટ, ધન-ધાન્ય, સ્ત્રી, પુત્ર જેવી પ્રિય વસ્તુઓને છોડવામાં તેમને ૨૧૬
રત્નત્રયીનાં અજવાળાં
*
*
*
*
*
**
**
*
**
*
*
**