________________
‘તારું જીવન અસંસ્કૃત છે, ધર્મકળાથી સંસ્કારી બનેલું નથી, એટલે પ્રમાદ ન કર. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આવી અસંસ્કૃત વ્યક્તિની રક્ષા કરનાર કોઈ નહીં હોય.''
સંસ્કારી વ્યક્તિ ધર્મકળાનો અભ્યાસી હોવાથી વૃદ્ધાવસ્થાને સુખમય બનાવી લેશે. મૃત્યુ પણ એને સુખકર પ્રતીત થશે.
ધર્મકલા : સર્વોત્તમ કલા
તમે કદાચ ધન-ઉપાર્જનની કળામાં હોશિયાર હશો. કેટલીક વ્યક્તિઓ લડવા-ઝઘડવાની કળામાં પાવરધી હોય છે. કેટલાક જિંદગીને મોજશોખની બાબત સમજીને તેને એશ-આામથી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગીઓ આરોગીને તેમજ નશાનું સેવન કરીને પ્રમાદી જીવન સર્જવાની કળામાં કાબેલ હોય છે. વિષયો અને કષાયોની ઘોડદોડમાં તેઓ વિજય મેળવવામાં કાબેલ હોય છે, તો કેટલાક ધૂતવામાં, દગાબાજી કરવામાં કે ચોરી અને લૂંટફાટની ક્ળામાં નિપુણ હોય છે.
તમે કહેશો કે આ બધી કલાઓ ગણાય નહીં. આ તો ળાના નામે કળાને બદનામ કરનારી બાબત ગણાય. કળાની ભ્રાન્તિને કળા સમજવી ભૂલ છે. આ બધી ભૌતિક ક્ળાઓ પણ ક્ળા નથી. પ્રાચીન સમયમાં શિલ્પકળા, કૃષિકળા, લેખનકળા વગેરે બોંતેર કળાઓ ભૌતિક કળાઓમાં ગણવામાં આવતી હતી, પરંતુ આંતરિક કળા કે આધ્યાત્મિક કળા તો કંઈક સાવ જુદી જ બાબત છે, અને એ જ જીવન-નિર્માણ કરવાની વાસ્તવિક કળા છે. ઉપર્યુક્ત ભૌતિક કળાઓ મનુષ્યમાં હોય, પરંતુ જીવન નિર્માણ કરવા માટેની અને જીવનને સંસ્કૃત બનાવવા માટેની ધર્મકલા ન હોય તો આખું જીવન વ્યર્થ ગયું કહેવાય. ધર્મગ્રંથો કહે છે – “સા થી ધમ્મના નિવેડું ।'
‘સમસ્ત કળાઓમાં ધર્મળા વિજયી છે.''
આનો અર્થ એ કે ધર્મળાના અભાવમાં સર્વ કળાઓ નિષ્પ્રાણ છે. સમગ્ર માનવસમાજમાં મુખ્યત્વે બે પ્રકારના જનસમાજ જોવા મળશે. પ્રથમ વર્ગમાં વિજ્ઞાનની પ્રચુર પ્રગતિ છે. જીવનના પ્રત્યેક સુખનાં સાધન વૈજ્ઞાનિક કળાથી પ્રાપ્ત કરી શકાય છે. રેલ, મોટર, વિમાન, તાર, ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો, આધુનિક ચલચિત્ર, સૌંદર્યપ્રસાધનનાં વિવિધ સાધન, રત્નત્રયીનાં અજવાળાં
૨૦૮