________________
ડગમગ ચાલે છે. પહેલો ચાલનારો સખ્યારિત્ર્ય ધરાવે છે, બીજો મિથ્યાચારિત્ર્ય ધરાવે છે.
સમક્યારિત્ર્ય સાધકમાં ત્યારે જ આવે છે જ્યારે સોળ – કષાય, નવનોકષાય – આ પચીસ કષાયોનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય. આનો અર્થ એ છે કે સમ્યફચારિત્ર્ય આવવાથી સાધકનું ગુણસ્થાન વધે છે અને મિથ્યાચારિત્ર્ય પહેલાથી શરૂ કરીને ચોથા ગુણસ્થાન સુધી જ રહે છે.
સખ્યારિત્ર્યના મુખ્યત્વે બે ભેદ છે – (૧) સર્વચારિત્ર્ય (૨) દેશચારિત્ર્ય. સર્વચારિત્ર સાધુ-સાધ્વીઓ માટે છે અને દેશચારિત્ર્ય ગૃહસ્થો માટે છે. આ બંનેનાં પાંચ મૂળ અંગ છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. સાધુઓ માટે જે પાંચ અંગ છે તે “મહાવ્રત કહેવાય છે અને ગૃહસ્થો માટે જે પાંચ અંગ છે તે “અણુવ્રત' કહેવાય છે. તેમના બીજા પણ ઉપાંગ વગેરે છે. સમ્યક્ઝારિત્ર્યની મહેક તમારા જીવનમાં આવી જશે તો તે તમારા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સર્વને સુગંધિત કરી દેશે. જરૂર છે અને ભાવનાપૂર્વક અપનાવવાની.
સ્થળ : ગૌડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ. સં. ૨૦૦૬, ભાદ્રપદ વદ ૬
૨૦૬
૨૦૬
રત્નત્રયીનાં અજવાળ |
રત્નત્રયીનાં અજવાળાં