________________
પ્રાપ્ત કરો. જ્ઞાની પુરુષ કહે છે કે પહેલાં જ્ઞાનની આવશ્યકતા છે, કારણ કે તેથી જ દયાની ઓળખ થઈ શકે. દયા અથવા કોઈ પણ પ્રવૃત્તિ કાર્ય છે, જ્ઞાન તેનું કારણ છે. પહેલાં કારણ હોય, પછી કાર્ય. કારણ વગર કાર્ય કરવા માંડીએ તો એ કાર્યમાં અશુભનો અંશ વધારે આવી જશે. તે કાર્યમાં તેજ નહીં આવે.
કોઈ પણ ક્રિયા જ્ઞાનપૂર્વક કરવામાં આવે, તો એ કાર્યમાં તેજસ્વિતા અને શુભફળની બહુલતા આવી જાય છે, પરંતુ અજ્ઞાનપૂર્વક થતી ક્રિયામાં તેજસ્વિતા આવતી નથી અને તે શુભફળદાયિની બનતી નથી. એ રીતે ક્રિયાહીન જ્ઞાન પણ વંધ્ય રહેવાને કારણે તેજસ્વી ફળદાયક બનતું નથી. આથી કહ્યું છે :
हतं ज्ञानं क्रियाहीनं हृता चाज्ञानिनां क्रिया । “ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ હોય છે. એ જ રીતે જ્ઞાનરહિત ક્રિયા પણ નિષ્ફળ હોય છે.” શાનનો ભવ-પરભવનો સાથ
સમયને ઓળખો. સ્વબુદ્ધિને સમ્યગૃજ્ઞાનથી પવિત્ર કરો. જ્ઞાન દ્વારા નિર્ધારિત કાર્ય કરનારા જ જગતમાં વિજયી થયા છે. જ્ઞાનથી નિર્ણય કર્યા વગર આંધળુક્યિાં કરનારા કે જુનવાણી રીતરિવાજોમાં ફસાયેલા પણ સફળ થતા નથી એટલે જ્ઞાનનો અપાર મહિમા છે.
જ્ઞાન પછી જ ક્રિયા કરવાની હોય છે. તે જ ક્રિયા કે ચારિત્ર સમ્યક હોય છે. આથી જ શાસ્ત્રકારોએ “રત્નત્રય”માં પહેલાં જ્ઞાનને સ્થાન આપ્યું છે તે પછી ચારિત્ર કે ક્રિયાને. આજે સમાજ જ્ઞાનને ભૂલી રહ્યો છે. તેનું કોઈ મહત્ત્વ એને સમજાતું નથી અને તેને આદર આપતા નથી, પરંતુ જ્ઞાન કરતાં વધારે ઉત્તમ અને પવિત્ર વસ્તુ જગતમાં બીજી કોઈ નથી. “શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે. -
- ન હિ સાનેન સહ વિરહ વિદત્ત | सर्व कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥
ज्ञानवान्मां प्रपयते “આ જગતમાં જ્ઞાન જેવી નિર્મળ વસ્તુ બીજી કોઈ નથી. શાન સર્વોત્કૃષ્ટ પદાર્થ છે અને બધાં જ કર્મ (ક્રિયાઓ) શુદ્ધ જ્ઞાનમાં પરિસમાપ્ત
૧૦૩
નમો નાણસ