________________
આત્માની હિલને કામગીરી
નારકીના જીવોને પોતાના પૂર્વજન્મનું અથવા આ જન્મનું જ્ઞાન હોય છે, પરંતુ તે જ્ઞાન પ્રાયઃ અજ્ઞાનરૂપ હોવાને લીધે તે પરસ્પર પૂર્વવેરનું સ્મરણ કરીને અથવા એકબીજાની ચેષ્ટાઓથી મનોવૃત્તિ જાણીને પરસ્પર કલહ, ક્લેશ અને સંઘર્ષ કર્યા કરે છે, પરંતુ જે વ્યક્તિ પાસે સમ્યકજ્ઞાન હશે, તે વેરનો બદલો વેરથી લેશે નહીં. મહાત્મા ગાંધીને એક અંગ્રેજ ધક્કો મારીને જહાજમાંથી બહાર કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમણે તેના પર દ્વેષ કરવાને બદલે શાંતિથી યથોચિત દૃઢતાથી ઉત્તર આપ્યો, પરંતુ પ્રહારના બદલામાં વળતો પ્રહાર ન કર્યો. આત્મજ્ઞાની અને આત્મવિસ્તૃત
એક વકીલને કાયદાનું જ્ઞાન હોય, તેથી તે અસીલને લડાવીને ખોટા કેસની પેરવી કરીને પૈસા ભેગા કરે છે. શું વકીલના જ્ઞાનને સાચું જ્ઞાન કહી શકાય ? જો સાચું જ્ઞાન હોત, તો તે ખોટી રીતે પૈસા મેળવવાનું પ્રલોભન તજી શક્યો હોત. આમ વકીલાતનું જ્ઞાન લોભનું કારણ નથી, બર્લ્ડ વકીલનું અજ્ઞાન લોભનું કારણ છે.
જો વકીલાતનું જ્ઞાન જ લોભનું કારણ હોત, તો મહાત્મા ગાંધીએ પણ વકીલાતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, પરંતુ તેમણે વકીલાતના જ્ઞાનથી કદી જુલ્લા મુકદ્દમાની પેરવી કરી ન હતી અને જાણી જોઈને ધન મેળવવા માટે કોઈને લડાવ્યા નહીં.
સમ્યકજ્ઞાન અને મિથ્યાજ્ઞાનનું પરિણામ ઘણી વાર આપણે આપણી આંખોથી પ્રત્યક્ષ જોઈએ છીએ, તેમ છતાં પણ મોહ અને રાગદ્વેષને વશ થઈને અજ્ઞાનને પકડી રાખીએ છીએ.
અખબારમાં એક પ્રસંગ વાંચ્યો હતો કે દિલ્હીમાં એક અંગ્રેજ મહિલા એક ઘોડાગાડીમાં બેસીને દારૂની દુકાને જઈ રહી હતી. તે સમયે મઘનિષેધના સંબંધમાં ઘણા રાષ્ટ્રભક્તો પિકેટિંગ કરી રહ્યા હતા. પિકેટિંગ કરનારાઓએ તે મહિલાને વિનયપૂર્વક દારૂ ખરીદતાં અટકાવી, પરંતુ ઘણું સમજાવવા છતાં તે મહિલાએ તેઓની વાત માની નહીં.
આ સમયે એક સ્વયંસેવક ઘોડાગાડીની આગળ સૂઈ ગયો. તેણે કહ્યું, “જો તમે નથી માનતાં તો મારી ઉપરથી ઘોડાગાડી ચલાવીને જાઓ.”
સ્વયંસેવક પોતાના વિચારોમાં મક્કમ હતો તેમ મેમસાહેબ પણ નમો નાણસ્સ.
૧૦૯