________________
સમ્યાન હશે તે તો ભંગી અથવા કોઈ પણ સેવા કરનારાને હલકો કે ઘૃણાપાત્ર નહીં માને.
જ્યાં અજ્ઞાન હોય છે, ત્યાં જ તેની ઘૃણા કે દ્વેષ કરાય છે એટલે શાસ્ત્રકાર હરિકેશી (જે ચાંડાળ કુળના હતા) મુનિની બાબતમાં સમ્યક્ત્તાનની દૃષ્ટિએ નિર્ણય આપે છે.
"सक्खं खु दीसह तवोविसेसो न दीसई जाईविसेस कोवि । सोवागपुत्तं हरिएससाहुं जस्सेरिसा इडिटमहाणु भावा ॥"
‘૨વપાક (ચાંડાળ) પુત્ર હરિકેશસાધુ, જેની એવી ઋદ્ધિ અને મધ્યપ્રભાવ છે, ત્યાં સાક્ષાત્ તપ-વિશેષ દેખાય છે, કોઈ જાતિ-વિશેષ દૃષ્ટિગોચર નથી થતી.’’
આ છે શાસકારોના હૈયાની આંખોથી જોઈને સમ્યક્દાનપૂર્વક કરાયેલો નિર્ણય. આથી પ્રત્યેક વસ્તુને સમ્યક્ત્તાનની કસોટી પર કસીને પછી તેના વિષયમાં કોઈ પણ નિર્ણય કરો.
જ્ઞાનથી લાભ
એ જોયું કે અજ્ઞાનથી દેખાતો લાભ સાચો કે સ્થાયી લાભ નથી. જ્ઞાનથી થતો લાભ સ્થાયી અને સાચો છે તેમ જ આત્મવિકાસનું કારણ છે. જ્ઞાન આત્માનો પ્રકાશ છે. જ્ઞાન દ્વારા વસ્તુ-સ્વરૂપને જાણી લેવાથી પણ ઘણો મોટો લાભ છે. ‘ન્યાયબિંદુ'માં કહ્યું છે.
" सम्यग्ज्ञानपूर्विका सर्वपुरुषार्थसिद्धिः ”
સમસ્ત પુરુષાર્થોમાં સિદ્ધિ કે સફળતા પહેલાં સમ્યજ્ઞાન થવાથી જ મળે છે.''
-
‘‘શ્રી દશવૈકાલિક સૂત્ર''માં જ્ઞાનનો પરમ લાભ બતાવતાં કહ્યું છે " जो जीवे वि वियाणइ, अजीवेवि वियाणे । जीवाजीवे वियाणंतो सो हुं नाही उ संजमं ॥"
જે જીવ(આત્મા)ને વિશેષ પ્રકારે જાણી લે છે અને અજીવ (જડ)નું પણ જ્ઞાન મેળવી લે છે, આ પ્રકારે આત્મા અને અનાત્માનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, તે જ સંયમના માર્ગ પર ગતિ કરી શકે છે.'' જ્ઞાન મનુષ્યમાં એક પ્રકારનો વિશિષ્ટ ગુણ જન્માવે છે. ભગવાન
નમો નાણસ્સ
૧૮૧
-