________________
હેલમાં મોટી પોલ
કોઈ સોનીને તમે સોના-ચાંદીના અલંકાર બનાવવા આપો, તો શું એ અલંકારો એના બની જાય છે ? ના. એ જ રીતે કોઈ દરજીને કપડાં સિવડાવવા આપો, તો શું એ કપડાં તેનાં થઈ જાય છે ? ના. ધોબીને કપડાં ધોવા આપો, તો શું એ કપડાં એનાં થઈ જાય છે? નહીં.
આ રીતે તમારી પાસે અધ્યાત્મવિદ્યાનાં મહાન-ઉચ્ચ શાસ્ત્ર હોય અથવા સિત હોય, પરંતુ તમે એનું સ્વજીવનમાં આચરણ કરો નહીં, ત્યાં સુધી એ તમારા નહીં થાય. ધર્મ કે સિદ્ધાંતોને આચરણથી આત્મસાત કરવાથી જ તે ધર્મ કે સિદ્ધાંત તમારા બને છે. નહીં તો, એ ધર્મના તત્ત્વ કે સિદ્ધાંત કાં તો ગ્રંથમાં જ પડ્યા રહે છે, અથવા તો બાટની શોભા વધારે છે. આ અંગે એક રોચક દર્શત જોઈએ –
એક શેઠને પ્રતિષ્ઠાની પુષ્કળ ભૂખ હતી. તેઓ પોતે ઊંડા જ્ઞાની હોય, શારાશ હોય તેવો દંભ-ડોળ કરતા હતા. પોતાની પ્રશંસા તેઓ સ્વયં કરતા હતા. એક વાર એક સંન્યાસી એમના ઘેર આવ્યા. પોતાની ધાર્મિકતા દેખાડવા શેઠ એમને પોતાના ખંડમાં લઈ ગયા. પુસ્તકોથી સજાવેલું સુંદર કબાટ દર્શાવતા બોલ્યા, ' “જુઓ મહારાજ ! આ જ્ઞાનેશ્વરી ગીતા છે, આ શ્રીમદ્ ભાગવત છે, આ યોગવાશિષ્ઠ છે, આ વાલ્મીકિરામાયણ છે, આ દસ ઉપનિષદ છે. વળી બીજા કબાટમાં વેદાંતના અનેક ગ્રંથ છે તથા યોગદર્શન, ભાષ્ય વગેરે અનેક ગ્રંથ છે.”
આ સાંભળીને નિઃસ્પૃહ સંન્યાસીએ કહ્યું, “શેઠ ! આ બધું તો તમારા કબાટમાં છે, તમારા જીવનમાં આમાંથી કયો ગ્રંથ છે? તમારી પાસે તો ચાનો કપ પડ્યો છે અને સામે ટેબલ પર યુદ્ધનાં દશ્યોની ચોપડી પડી અને એક બાજુ આજનાં અખબારોનો ઢગલો પડ્યો છે. તમારી સામે દલાલોનું ટોળું ઊભું છે. જે તમને વારંવાર ઉઠાડે છે. તમારા અંતરમાં તો કષાયોની હોળી સળગે છે. તેમાં તો કોઈ યોગ કે ઉપનિષદ દેખાતાં નથી.”
શેઠ સંન્યાસીની સત્ય વાણી સાંભળીને ઝંખવાઈ ગયા. એમણે ઉત્તર આપ્યો, “મહારાજ ! બીજા શેઠોને ત્યાં તો આવાં પુસ્તકો પણ નથી,
રત્નત્રયીનાં અજવાળાં
૧૪
કિક