________________
ભારતીય પ્રજા ચારિત્ર્યમાં કેટલી સુદૃઢ હતી, તેનું એક ઉદાહરણ
જોઈએ
-
શહેનશાહ સિકંદરે ભારત પર આક્રમણ કર્યું તે સમયની વાત છે. એક દિવસ રાજા પોરસની સાથે શહેનશાહ સિકંદર રાજસભામાં બેઠો હતો, ત્યારે બે પ્રજાજનો પોરસ પાસે ન્યાય માગવા આવ્યા.
વાત એવી હતી કે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને જમીન વેચી હતી. જમીન ખરીદનારને તે જમીન પર હળ ચલાવતી વખતે સોનાનો એક ચરુ મળ્યો, તેથી તે સોનાના ચરુને લઈને જમીનના અગાઉના માલિક પાસે આવ્યો અને કહ્યું કે, ‘લો ભાઈ, તમારી જમીનમાંથી આ સોનાનો ચરુ નીકળ્યો છે. એટલે તમને આપવા આવ્યો છું.''
મૂળ માલિકે કહ્યું, “આ ચ્ હું કેવી રીતે લઈ શકું ? મેં તો તમને જમીન વેચી દીધી છે, તેથી તે પછી એમાંથી જે કંઈ નીકળે તે તમારું જ ગણાય.''
બસ, આ સોનાના ચની બાબતમાં બંને વચ્ચે લાંબી ગરમાગરમ ચર્ચા થઈ અને જ્યારે બંનેમાંથી કોઈ તે ચને રાખવા તૈયાર ન થયા, ત્યારે તેઓ રાજા પાસે આનો ફેંસલો માગવા આવ્યા.
બંનેની વાત સાંભળીને રાજાએ વર્તમાન માલિકને કહ્યું, “તેં આ જમીન ખરીદી લીધી છે તેથી હવે તેમાંથી જે કંઈ નીકળે તે તારું જ માનવામાં આવશે, તો પછી તું આ ચરુ કેમ નથી રાખતો ?'’
એણે જવાબ આપ્યો, મેં જમીન જરૂર ખરીદી છે, પરંતુ જમીનની અંદર રહેલી વસ્તુઓનો હું કેવી રીતે માલિક હોઈ શકું ?''
રાજા પોરસે એ જમીનના અગાઉના માલિકને પૂછ્યું, “જ્યારે આ (ખેડૂત) તને ચરુ આપવા આવ્યો છે તો પછી તને એ રાખવામાં શું વાંધો છે ?’’
તેણે જવાબ આપ્યો, ‘મેં જમીન વેચી દીધી છે, તે પછી એમાંથી જે કંઈ પણ નીકળે એ ખરીદનારનું ગણાય. એથી હું ચરુ કેવી રીતે રાખી શકું ?'' શહેનશાહ સિકંદર તો આ બંનેની દલીલો સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયો.
રાજાએ બંનેનો ન્યાય તોળતાં કહ્યું, ‘‘તમારા બંનેનાં કોઈ સંતાન છે ?'’ રત્નત્રયીનાં અજવાળાં
૨૦૦