________________
આત્મા અને પરમાત્મા
આજે આત્મામાંથી પરમાત્મા કઈ રીતે બની શકાય, તે વિશે વિચારીએ. આમ તો આ વિષય ઘણો ગૂઢ છે અને સહજગમ્ય નથી, તેમ છતાં એને સરળ રીતે સમજવા કોશિશ કરીએ.
અભિન્નતા અને ભિન્નતા કેવી રીતે ?
પ્રત્યેક આસ્તિક વ્યક્તિ આત્મા અને પરમાત્માને માને છે, પછી ભલે તેના સ્વરૂપ અને એની અન્ય બાબતોમાં મતભેદ હોય.
જૈનદર્શનની દૃષ્ટિએ આત્મા અને પરમાત્મામાં કોઈ અંતર નથી, આમ છતાં બાહ્ય દૃષ્ટિએ જે અંતર દેખાય છે તે બાહ્ય કારણોથી સર્જાયેલું છે, અને તે બાહ્ય કારણો એટલે કર્મ
કર્મોએ આત્માના સાચા સ્વરૂપને આચ્છાદિત કરી દીધું છે. આત્માને રાજામાંથી રંક બનાવી દીધો છે.
પ્રશ્ન એ છે કે આત્મા રંક છે અને પરમાત્મા રાજા છે તો તેને રેકમાંથી રાજા કેવી રીતે બનાવી શકાય ? રંક રાજાની ગમે તેટલી સેવાચાકરી કરે, તેમ છતાં તે રંક જ રહે છે, રાજા નથી બની શકતો, તે જ રીતે આત્મા પરમાત્મારૂપી રાજાની ગમે તેટલી ભક્તિ કરે, પણ તે તો આત્મા જ
રત્નત્રયીનાં અજવાળાં