________________
ચારિત્રગુણહીનને વિષયકષાય અને કર્મબંધનોથી મુક્તિ હોતી નથી અને એનાથી મુક્ત થયા વિના નિર્વાણ મળતું નથી. આ શાસ્ત્રમાં વિશેષમાં કહ્યું છે :
नाणेण जाणई भावे, दंसणेण य सरहे ।
चारित्तेण निगिण्हाइ, तवेण परिसुज्झाइ ॥ જ્ઞાનથી સાધક પદાર્થોની જાણકારી કરી લે છે કે આ પદાર્થ હેય છે, શેય છે કે ઉપાદેય છે? દર્શનથી એમાંથી ઉપાદેય કે કલ્યાણકર તત્ત્વ પર શ્રદ્ધા કરે છે. ચારિત્ર્યથી એ કલ્યાણકારી તત્ત્વોને જીવનમાં સમ્યકરૂપથી ગ્રહણ (ક્રિયાન્વિત) કરે છે. તપથી જે હેય કે વિપરીત તત્ત્વ આત્મામાં ઘૂસી ગયાં છે, તેમને કાઢીને આત્માને પરિશુદ્ધ બનાવે છે.
ત્રિવિધ તાપનાં 2
વિભૌતિક, અથિી મુક્ત થ
આજે આખું જગત આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક – એમ ત્રણ તાપથી તપ્ત છે. આ ત્રિવિધ તાપથી મુક્ત થવા માટે અને સમાધિ પ્રાપ્ત કરવા માટે સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક્યારિત્ર્ય આ ત્રણેને સંયુક્તરૂપે અપનાવવાં જોઈએ. આ ત્રણેને સંયુક્તરૂપે જ મોક્ષનાં સાધન માનવામાં આવ્યાં છે.
सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः । “સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્મચારિત્ર્ય આ ત્રણેય મળીને મોક્ષનો માર્ગ બને છે.”
સહુ સમાધિ ઇચ્છે છે. આ ત્રિવિધ તાપથી છુટકારો મેળવીને મુક્તિનું પરમસુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. આ ત્રણેને સમાધિ માટે શાસ્ત્રકારો રાજમાર્ગ તરીકે ઓળખાવે છે. બીજા શબ્દોમાં આપણે તેમને શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા કહી શકીએ. વૈષ્ણવધર્મમાં આને જ ભક્તિ, જ્ઞાન અને કર્મ કહ્યાં છે. આ ત્રિવેણીમાં સ્નાન કરવાથી જ મનુષ્યને શાંતિ, સમાધિ અને સંતોષ પ્રાપ્ત થઈ શકે છે.
સિદ્ધાંતત્રયી
સંસારનો પ્રત્યેક સમજદાર માનવ આ જગતમાં પણ સુખપૂર્વક જીવવા છે અને પરલોકમાં પણ સુખ મેળવવા ચાહે છે, પરંતુ સુખપ્રાપ્તિ રત્નત્રયનો પ્રકાશ
હું ૧૪૧ -
છે
કે