________________
સમ્યગદર્શનનો પ્રભાવ
રત્નત્રયીમાં સમ્યગદર્શન મુખ્ય છે. અને એ જ સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચારિત્રનું મૂળ છે. સમ્યગુદર્શન હોવાથી જ જ્ઞાન અને ચારિત્રમાં સમ્યક્તા આવે છે. સમ્યગુદર્શન સિવાય જ્ઞાન અને ચારિત્ર બંને મિથ્યા છે.
એમ તો નિગોદના જીવોમાં જ્ઞાન હોય છે, પરંતુ સમ્યગદર્શનના અભાવને કારણે તે ખોટું હોય છે. દરેક આત્મામાં જ્ઞાન તો હોય જ છે, પરંતુ
જ્યાં સુધી સમ્યગુદર્શન ન હોય ત્યાં સુધી એ જ્ઞાન સાચું અને પ્રશસ્ત કહેવાતું નથી, એટલા માટે સમ્યગુદર્શનને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું
છે.
જેવું મૂળ, તેવું ફળ
આ દૃષ્ટિએ સમ્યગુદર્શન બીજ છે. એને કારણે જ સાધનારૂપી વૃક્ષમાં જ્ઞાનનાં ફૂલ સુગંધિત અને ચારિત્રનાં ફળ મધુર બની શકે છે. સમ્યગુદર્શનરૂપી બીજનો અભાવ હશે, તો જ્ઞાનરૂપી કૂલ સુગંધિત બની શકશે નહીં અને ચારિત્રરૂપી ફળ સુંદર અને મધુર થઈ શકશે નહિ, તેથી મૂળને સુધારો. પ્રકૃતિનો એ અફર નિયમ છે કે જેનું મૂળ હશે તેવાં તેનાં ફૂલ અને ફળ હશે. સમ્યગુદર્શન મૂળ છે. તે જો સુરક્ષિત કે યોગ્ય છે તો જ્ઞાનરૂપી ફૂલ કે ચરિત્રરૂપી
રત્નત્રયીનાં અજવાળાં
૧૪૮