________________
ભરે છે. આ દષ્ટિએ સમ્યગુદર્શન પરમ લાભ છે.
સમ્યગુદર્શન આત્મામાં વિષય-કષાયોની તીવ્રતાને સમાપ્ત કરીને સમતાનો અદ્ભુત સંચાર કરે છે. તીવ્રતમ રાગદ્વેષના સંતાપને ઠંડો કરીને આત્માને અપૂર્વ શાંતિના સરોવરમાં સ્નાન કરાવે છે. સમ્યગુદર્શીને બીજા અનેક લાભ પ્રાપ્ત થાય છે. “શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે –
“સમરસી રહું પર્વ સમ્યગદર્શી પાપ નથી કરતો.”
ચોથા ગુણસ્થાનથી આત્માને સમ્યગુદર્શનનો લાભ થાય છે અને ચૌદમા ગુણસ્થાન સુધીનો જીવ સમ્યગ્રદર્શનનો સ્વામી કહેવાય છે. સમ્યગદર્શી નવા પાપકર્મોનું બંધન કરતો નથી. તેને એવી દષ્ટિ સાંપડી હોય છે કે તે પુણ્ય અને પાપ, આસ્રવ અને સંવર', બંધ અને મોક્ષને યોગ્ય રીતે પારખી અને નીરખી શકે છે. જ્યારે એને જ્ઞાન થાય છે કે આ કાર્ય, વિચાર કે વચન પાપકારી હોવાથી પાપકર્મનો બંધ કરાવનાર છે તેથી તે એમાં પ્રવૃત્ત થતો નથી. તેની શ્રદ્ધા એટલી દઢ બની જાય છે કે એને કારણે નવાં પાપકર્મોનો બંધ અટકી જાય છે, દુઃખ પછી દુઃખ આવતું હોય કે અત્યંત વિષયસુખ પ્રાપ્ત થવા છતાં પણ તે નવાં પાપકર્મથી બચતો રહે છે. શાસ્ત્રીય દૃષ્ટિએ પણ એ વાત નિશ્ચિત છે કે સમ્યગુદર્શનનો ૧. આશ્રવ – આશ્રવ એટલે કર્મરૂપી મળનું આત્મા તરફ આવવું તે. અર્થાત્ કર્મનાં કારણો
તે આશ્રવ. કાય, મન અને વચનની પ્રવૃત્તિ તે યોગ – તે જ આશ્રવ. ૨. સંવર – જેનાથી આશ્રવનો નિરોધ થાય તે સંવર. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા,
પરિષહજય અને ચારિત્ર વડે સંવર થાય છે. તપ વડે સંવર અને નિર્જરા બન્ને થાય છે. ૩. બંધ – આત્માની સાથે કામણ વર્ગણા(કર્મપુદ્ગલ)નો સંબંધ થવો તેને બંધ કહેવાય.
કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય એવાં પુદ્ગલોનું ગ્રહણ કરે છે તે બંધ કહેવાય છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર તેના પ્રકારો છે. ૪. મોણા – સંપૂર્ણ કર્મ-ક્ષય બાદ આત્માનું પોતાના સ્વરૂપમાં અધિષ્ઠાન. મોહના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મના ક્ષયથી કેવલ પ્રગટે છે. બંધહેતુઓના અભાવથી અને નિર્જરાથી કર્મનો આત્યંતિક ક્ષય થાય છે. સંપૂર્ણ કર્મક્ષય પછી તરત જ મુક્ત જીવ લોકના અંત સુધી ઊંચે જાય છે. ૫. સમ્યગુદર્શન - તત્ત્વોનું સાચું શ્રદ્ધાન. યથાર્થ રૂપથી પદાર્થોનો નિશ્ચય કરવાની રુચિ તે સમ્યગદર્શન છે. પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્તા એ પાંચ લિંગો દ્વારા સમ્યક્તની પિછાન કરી શકાય છે.
૧૫૬
રત્નત્રયીનાં અજવાળાં.