________________
છે કે જ્યારે મિથ્યાષ્ટિ કે સામાન્ય સંસારી માનવી તીવ્રતમ ક્રોધાવેશમાં આવીને કહે છે – “સાલાનું લોહી પી જઈશ; એને કાચો ને કાચો ખાઈ જઈશ.” પરંતુ સમ્યગુદૃષ્ટિ ધરાવતી વ્યક્તિના મુખમાંથી આવા શબ્દો નીકળતા નથી.
કદાચ કોઈ તેને “સાલો' કહીને અપશબ્દ કહે, તો પણ એ વિચારે છે કે, “જગતની પરસ્ત્રીઓ મારા માટે બહેન સમાન છે. આ સંબંધે કોઈ મારો બનેવી બને, તો તેમાં શું વાંધો હોઈ શકે?”
આમ વિચારીને સમ્યગુષ્ટિ અપશબ્દ બોલનારને કહે છે, “આવી ડિગ્રી માટે ધન્યવાદ ! હું તો આમેય પરસ્ત્રીને માતા-બહેન સમાન માનું છું.” બીજી બાજુ મિથ્યાત્વી માનવી એક અપશબ્દ કહેનારને વળતાં દસ ગાળ આપશે અને કોઈ હિતની વાત સમજાવનારને ઉપરથી લઢશે અને કહેશે, “તમે કોણ છો મને સલાહ આપનારા ? તમારી બુદ્ધિ તમારી પાસે રહેવા દો તો સારું !”
સમ્યગૃષ્ટિને કોઈ માર મારે, મારપીટ કરે કે વગર વાંકે દંડ આપે તો તે શાંતિથી સહન કરી લેશે. અને જો પ્રતિકાર કરે તો તે પણ જાતે કષ્ટ સહીને અહિંસક ઢંગથી શાંતિપૂર્વક કરશે. કોઈ પણ બીમારી કે વેદનાની સ્થિતિમાં સમ્યગુદૃષ્ટિ એમ વિચારશે –
મારાં જ અશુભ કર્મોનું આ પરિણામ છે. જો અશુભ કર્મોનો ઉદય ન થયો હોત તો મારું કોઈ કશું અહિત કરી શકે નહીં. આ બીમારી, આઘાત કે દંડનું ઉપાદાન – કારણ તો હું પોતે જ છું. નિમિત્ત ભલે કોઈ પણ હોય. તો પછી નિમિત્તને દોષ શા માટે આપું ?” પરંતુ મિથ્યાષ્ટિ કષાયની તીવ્રતાને લીધે એક લાતની સામે સો જૂતા મારવા તૈયાર થઈ જશે. માંદગીના સમયે હાયતોબા કરીને બધાને હેરાન-પરેશાન કરી નાખશે અને ઘર કે પરિવારજનોને આ માટે દોષ આપશે. નિમિત્ત પર દોષારોપણ કરશે.
નરકની ભૂમિ અતિ વેદનાદાયી છે. એનો સ્પર્શ જ એવો હોય છે જાણે એક સાથે હજાર-હજાર વીંછી ડંખ મારે તેવો એનો સ્પર્શ હોય છે. અહીં સમ્યગૃષ્ટિ હોય છે અને મિથ્યાદેષ્ટિ પણ. નારકીય વેદના કોઈનીય શરમ રાખતી નથી. અહીં પરમધામી દેવ (અસુર) પણ ભિન્ન-ભિન્ન
રત્નત્રયીનાં અજવાળાં
૧૬૨