________________
પ્રકારની પીડા પહોંચાડે છે. નારકીય જીવ પરસ્પર વેરને યાદ કરીને એકબીજા સાથે લડ્યા-ઝઘડ્યા કરે છે અને એકબીજાને દુઃખ પહોંચાડે છે, પરંતુ આવાં કષ્ટ સહન કરતી વખતે સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ એ બંનેની ભાવનામાં ઘણો તફાવત હોય છે. મિથ્યાષ્ટિ કષ્ટ આપનાર તરફ તીવ્ર રોષ અને ઉત્કટ તેષભાવ રાખે છે અને તે ભોગવતી વખતે આકુળ-વ્યાકુળ રહે છે તથા આર્ત-રૌદ્રધ્યાન કરે છે.
સમ્યગૃષ્ટિ નારક એમ સમજે છે કે,
મારા પૂર્વજન્મોનાં પાપોનું ફળ ભોગવી રહ્યો છું. એનું દેવું માથા પરથી ઉતારવું પડશે ને ! આ પ્રકારના દુઃખને સમભાવથી સહન કર્યા વગર આ ભારે દેવું કેવી રીતે ફેડી શકીશ? પરિણામે આ દુઃખ મારા માટે હિતકારી છે એને સમભાવથી ભોગવીને મારા આત્માને પાપકર્મોના બોજથી અત્યંત હલકો કરીશ.” સમ્યગુદૃષ્ટિમાં કષાયની મંદતાને કારણે સમભાવ જાગે છે, જ્યારે મિથ્યાષ્ટિમાં રાગ-દ્વેષની તીવ્રતાને લીધે વિષમભાવ જન્મે છે.
જળમાં કમળ
સમ્યગૃષ્ટિપુરુષ ગૃહસ્થજીવન જીવતો હોવા છતાં તત્ત્વને ઓળખી ૧. નારકીય જીવ – અધોલોકનું સ્થાન કે જ્યાં ઘોર પાપાચરણ કરનાર જીવ પોતાનાં
પાપોનું ફળ ભોગવવા ઉત્પન્ન થયો હોય નરક સાત છે – (૧) રત્નપ્રભા – કૃષ્ણવર્ણ ભયંકર રત્નોથી પૂર્ણ. (૨) શર્કરપ્રભા – ભાલ્વ, બરછી આદિથી પણ તીક્ષ કંકરોથી પરિપૂર્ણ (૩) વાલુકાપ્રભા – ભાડભૂજાની ભાડની ઉષ્ણ રેતીથી અધિક ઉષ્ણ રેતાયુક્ત. (૪) પંકપ્રભા – રક્ત, માંસ અને પરુ જેવા કીચડથી વ્યાપ્ત (પ) ધૂમ્પ્રભા – રાઈ, મરચાંના ધુમાડાથી અધિક તીખા ધુમાડાથી પરિપૂર્ણ (૯) તમ પ્રભા – ઘોર અંધકારથી પરિપૂર્ણ
(૭) મહાતમ:પ્રભા – ઘોરાતિઘોર અંધકારથી પરિપૂર્ણ. ૨. કષાય – “કષ' એટલે સંસાર અને “આય' એટલે વૃદ્ધિ. જેનાથી સંસારની વૃદ્ધિ થાય,
જન્મમરણની પરંપરા વધે તે કષાય. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકારના કષાય છે જેમાં ક્રોધ એ બહારથી દેખો તો કષાય છે અને માન, માયા ને લોભ અંદરના કપાય છે. તે ચારની તીવ્રતાના તરતમભાવની દૃષ્ટિએ ચાર ચાર પ્રકાર છે – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાવ્યાખ્યાનાવરણીય અને સંજ્વલન. સમ્યગદર્શનનો પ્રભાવ સિ
૧૬૩