________________
નમો નાણસ્સા
પ્રત્યેક કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે જ્ઞાનની આવશ્યકતા છે. એક એંજિનિયર વિશાળ ભવનનું નિર્માણ કરે તે અગાઉ તેનો પૂરો નકશો પોતાના મનમાં વિચારી લે છે. એક વેપારી કોઈ વસ્તુનો વેપાર કરતાં પહેલાં વિચારે છે કે આ પ્રદેશમાં આ ચીજ-વસ્તુ વેચાશે કે નહીં ? કયા સ્થળે એ સસ્તા ભાવે મળશે ?
આ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પ્રત્યેક ક્રિયા કરતાં પૂર્વે જ્ઞાનનો પ્રકાશ જરૂરી છે. જો તમારે દયા કરવી હોય તો પહેલાં તેના કારણરૂપ જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન વગરની દયા અવિવેકપૂર્ણ હશે. તમે પ્રથમ જ્ઞાન પ્રાપ્ત કરી લેશો અને પછી જ્ઞાનપૂર્વક દયાનું આચરણ કરશો તો દયા કરતી વખતે તમે એટલો વિવેક જરૂર દાખવશો કે મારે પહેલાં કોના પર દયા કરવી જોઈએ. પ્રથમ જ્ઞાન, પછી દયા
તમારી સામે દયાને પાત્ર એવી બે વ્યક્તિઓ છે. એક ધર્મપ્રેમી છે અને બીજી ધર્મપ્રેમી નથી અથવા તો એકને એ વસ્તુની એ સમયે ઓછી આવશ્યક્તા છે અને બીજાને તેની તાત્કાલિક તીવ્ર જરૂર છે. હવે તમે પહેલાં કોના પર દયા કરશો ?
જો બંને પર દયા કરી શકો તો તો બહુ સારું, નમો નાણસ્સા
૧૬૯
*
*
જ
ક
જ