________________
આ ત્રણે પરિણામોની ઉત્તરોત્તર વિશુદ્ધિની સાથે જ અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમ્યકત્વમોહ, મિથ્યાત્વમોહ અને મિશ્રમોહ આ સાત બાબત(દર્શનસપ્તક)નું ઉપશમન, ક્ષય કે ક્ષયોપશમન કરી લે છે. જ્યારે અનન્તાનુબંધી ક્રોધ વગેરે ચારેય તીવ્રતમ કષાય નથી રહેતા, તો એ આત્માને તેના કારણે લાગતાં પાપકર્મ પણ બંધરૂપ થતાં નથી.
તેની સાથે ત્રણ પ્રકારના -મોહના કારણે પાપકર્મની પ્રકૃતિનો બંધ થતો હતો, તે પણ રોકાઈ જાય છે. સમ્યગુદર્શીને સમ્યગુદર્શન પ્રાપ્ત થવાથી આટલો મહાન લાભ શું ઓછો છે? આ લાભ કરોડો રૂપિયા આપવાથી વર્ષો સુધી અજ્ઞાન-તપ કરવાથી કે મિથ્યાજ્ઞાન(અવિવેકીપૂર્વક વગર વિચાર્યે વ્યર્થ ક્રિયાઓ કરવાથી પણ પ્રાપ્ત નથી થતો. આ તો યોગ્ય દિશામાં પુરુષાર્થ કરવાની રુચિ થવાથી સમ્યગ્રદર્શન પ્રાપ્ત થવાના કારણે જ સાંપડે છે.
મિથ્યાતત્ત્વની અંધકારભરી ગલીઓમાં ભટકવાને લીધે જીવને હિત કે અહિતનું, સત્ય કે અસત્યનું અથવા કર્તવ્ય-અકર્તવ્યનું ભાન રહેતું નથી. મિથ્યાતત્ત્વવશ થઈને સ્વાર્થ અને સત્યને એક જ સમજવા માંડે છે અથવા તો સત્યને અસત્યના રૂપમાં કે અસત્યને સત્યના રૂપમાં જુએ છે. આ સમયે સત્યનું દર્શન કરાવનાર સમ્યગુદર્શનનો પ્રકાશ પ્રાપ્ત થવો કેટલો લાભદાયક થાય છે ? મિથ્યાત્વનો નાશક
સમ્યગુદર્શનનો સીધો અને સ્પષ્ટ અર્થ થાય છે – સાચું જોવું. સામાન્ય રીતે આંખોમાં કોઈ ખરાબી કે બીમારી હોય નહીં, તેઓ સાચું જ જોતા હોય છે, પરંતુ ચર્મચક્ષુથી જોવું એ દર્શન કહેવાય નહીં.
સમ્યગદર્શનનો અર્થ થાય છે હૃદયની આંખે જોવું. હૃદયની આંખોથી કરેલો દઢનિશ્ચય, દઢવિશ્વાસ સમ્યગ્ગદર્શન કહેવાય છે. બુદ્ધિની આંખ ખોટો નિર્ણય કરી શકે છે, બુદ્ધિની સાથે હૃદય ન હોય તો એકલી બુદ્ધિનો નિર્ણય સાચો હોતો નથી. હૃદય શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર હોય છે
જ્યારે બુદ્ધિ તર્કનું કેન્દ્ર છે. બુદ્ધિ દ્વારા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, અત્યંત ગહન આધ્યાત્મિક વાતોનું ઉડ્ડયન કરી શકાય, પરંતુ જ્યાં સુધી આત્મા હૃદયની આંખે જોઈને એ જ્ઞાન પર હેય (સ્વીકાર્યો કે
રત્નત્રયીનાં અજવાળાં
૧૫૮