________________
ફળ ઉત્તમ અને મધુર હશે.
એક સાધુ રણમાંથી પસાર થતા હતા. એમને કકડીને ભૂખ અને તરસ લાગી હતી. રણમાં તો ચારે બાજુ રેતી ને રેતી જ પથરાયેલી હતી. જમીન પરની રેતી તાવડાની જેમ બળબળતી હતી. માથે સૂરજનાં પ્રખર કિરણો ગરમી વરસાવતાં પડી રહ્યાં હતાં. વિશ્રામ કરવા માટે ક્યાંય કોઈ વૃક્ષ દેખાતું ન હતું. સાધુ આ પ્રદેશમાં નવા નવા જ આવ્યા
તા
થોડે દૂર ગયા તો રેતીના એક ટેકરા પર તુંબડાની વેલ દેખાઈ. સાધુએ અગાઉ ક્યારેય તુંબડાનું ફળ જોયું ન હતું અને એના ગુણ-અવગુણોથી પણ અપરિચિત હતા, આથી પીળાં-પીળાં સુંદર ફળ જોઈને અપાર આનંદ થયો. સાધુએ વિચાર્યું, “બસ, હવે આ ફળ ખાઈને હું મારી ભૂખ-તરસ છિપાવીશ.”
સાધુએ એક ફળ તોડીને મોઢામાં મૂક્યું કે જીભને અડકતાં જ મોં કડવું થઈ ગયું. સાધુને ઘણું જ આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું, “જે ફળ દેખાવમાં આટલું સુંદર છે, તે આટલું બધું કડવું કેમ ? આની જાણકારી મેળવવી જોઈએ.”
કડવાપણાની જાણકારી મેળવવા સાધુએ તુંબડાની વેલનું એક પાંદડું તોડીને ચાખ્યું તો એ પણ કડવું ! અંતમાં એના મૂળને ઉખાડીને જીભ પર રાખ્યું તો એ પણ કડવું જ હતું. - સાધુએ મનમાં નક્કી કર્યું, “જેનું મૂળ જ કડવું છે, તેનું ફળ કેવી રીતે મીઠું હોય ? એનાં ફૂલ અને પાંદડાં પણ કેવી રીતે મીઠાં હોય ?”
ફળ મધુર જોઈતું હોય કે સુંદર અને સુગંધિત ફૂલ જોઈતું હોય તો મૂળને સુધારવું જોઈએ.
એ રીતે જ્ઞાનરૂપી ફૂલને સુગંધિત અને ચરિત્રરૂપી ફળને મધુર બનાવવું હોય, તો દર્શનરૂપી મૂળને સુધારવું જોઈએ. જો દર્શન સમ્યક થશે તો આ બંને સમ્યફ થઈ જશે. આજે લોકો મૂળને સુધારવા માગતા નથી. માત્ર શાસ્ત્ર ભણીને અથવા ગોખીને પોતાને જ્ઞાનવાન માની લેશે અથવા અનેક પ્રકારના ક્રિયાકાંડ સમજ્યા વગર અથવા તો અવિવેકપૂર્વક, શ્રદ્ધા વગર કરતાં રહેશે. જ્યારે ફળ ઊલટું મળશે અથવા સારું નહીં સમ્યગુદર્શનનો પ્રભાવ
૧૪૯