________________
ગુણોની વિષમતા નથી રહેતી. મુખ્યત્વે ત્રણ ભેદ
આત્મા જ્યારે જાણે છે કે આ કર્મભનિત ઉપાધિઓને કારણે આત્મગુણોના વિકાસમાં વિક્ષેપ આવે છે ત્યારે એવાં કર્મોને અપનાવે છે જ શા માટે ? ખરું જોતાં આત્મા ન ઇચ્છે તો પણ પરભાવો – શરીર અને શરીર સાથે સંબંધિત વસ્તુઓ – ઉપર રાગ, દ્વેષ, મોહ વગેરેને કારણે કર્મબંધન કરી બેસે છે. કર્મોને શત્રુ સમજીને દૂર રાખીએ તો જ આ શક્ય બને, પરંતુ આજે અધિકાંશ આત્માઓએ કર્મશત્રુઓને મિત્ર બનાવેલા છે.
માથું કાપી નાખતા શત્રુઓ તો પ્રત્યક્ષ રીતે શરીરનો નાશ કરે છે, જ્યારે કર્મશત્રુ તો આત્માના ગુણોનો નાશ કરીને કેટલાય જન્મોની ઉત્તમ ધર્મકરણીને નષ્ટ કરી નાખે છે. માથું વાઢી નાખનાર અનિત્ય શરીરનો જ નાશ કરે છે, નિત્ય આત્માનો નહીં, પરંતુ દુષ્ટ કર્મશત્રુઓ સાથે મિત્રતા કરીને તો આપણે સ્વયં આપણું માથું કાપવાનું કામ કરીએ છીએ.
આ માટે કર્યજનિત ઉપાધિ-નિરપાધિને ધ્યાનમાં લઈને આત્મગુણોના વિકાસની વધતીઓછી માત્રાની દૃષ્ટિએ આત્માઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા. શરીર અને શરીરને સંબંધિત વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરવાવાળો આત્મા બહિરાત્મા કહેવાય છે. શરીર અને શરીરનાં અંગઉપાંગોને બધું જ સમજનારા લોકો, એને પોતાનો માનીને રાત-દિવસ શરીરની જ સેવા શુશ્રુષામાં રચ્યા-પચ્યા રહે છે. આવો આત્માની સેવાનો કોઈ વિચાર નહીં કરનાર બહિરાત્મા છે. ભોજન માટે થોડું જ અનાજ જોઈએ. છતાં પણ આવા લોકો, દુનિયાભરના ખાદ્યપદાર્થો પહેલેથી સંગ્રહ અને મમત્વ કરીને ભરી રાખશે. પહેરવા માટે થોડાંક કપડાં જોઈએ, પરંતુ કપડાંની પેટીઓની પેટીઓ ભરીને રાખશે. કોઈ વ્યક્તિ ઠંડીથી ધ્રુજતો હશે તેમ છતાંય તેને કશું નહીં આપે. પોતાના માટે અને પોતાના શરીર માટે ભેગું કરીને રાખશે.
શરીરને રહેવા માટે નાનકડું મકાન જોઈએ, પરંતુ મોટા-મોટા વિશાળ અને આલીશાન બંગલા અને ઈમારતો બનાવશે. કોઈ ગરીબને એમાં
આત્મા અને પરમાત્મા
colo
ક