________________
પર વિજય મેળવી શક્યો નહીં, પરંતુ એના મનમાં હિંદુસ્તાનને જીતવાની મહત્ત્વાકાંક્ષા હતી. આ ઇચ્છાથી પ્રેરાઈને બાબરે ઈરાનના બાદશાહને દૂત મારફતે સંદેશો કહેવડાવ્યો, “બાબર ભારત પર વિજય મેળવવા ઇચ્છે છે. તેને આપની સહાયની જરૂર છે.”
ઈરાનના બાદશાહે કહ્યું, “સહાયતા આપવા માટે હું તૈયાર છું, પરંતું પહેલાં એ કહે કે બબર પહેલાં હાર્યો કેમ?”
દૂત ઘણી હોશિયાર હતો. તેણે ઉત્તર આપ્યો, “યોગ્ય પદ પર યોગ્ય વ્યક્તિઓને નિયુક્ત ન કરવાથી તેને હાર ખાવી પડી.” બુદ્ધિશાળી વ્યક્તિને યોગ્ય પદ મૂર્ખ લોકોને આપ્યું અને સામાન્ય માણસોને યોગ્ય પદ પર એણે બુદ્ધિશાળી માણસોને નિયુક્ત કર્યા હતા. મૂર્ખ મહાન કાર્ય કરી શકતા નથી અને સામાન્ય કામ કરવામાં બુદ્ધિશાળીઓનું ચિત્ત ચોંટતું નહોતું.
આ રીતે બધાં કાર્યોમાં અવ્યવસ્થા થવાને લીધે બાબરને પરાજિત થવું પડ્યું. બાબરને પોતાની ભૂલ સમજાઈ હોવાથી આ વખતે એવું નહીં થાય.” આથી ઈરાનના બાદશાહે બાબરની મદદે પોતાનું લશ્કર મોકલ્યું. બાબરે ફરીથી ભારત પર ચઢાઈ કરી અને પોતાના વિજયનો ડંકો વગાડ્યો.
આનું તારણ એ કે સમાજમાં જે વ્યક્તિ જેને યોગ્ય હોય તેવું જ કામ સોંપવાથી વ્યવસ્થા જળવાઈ રહેશે અને તેથી સમાજોદ્ધારનું કામ પણ સરળતાથી થશે. સમાજમાં નારીનું સ્થાન ઘણું ઉચ્ચ અને મહત્ત્વપૂર્ણ હતું, પરંતુ જ્યારથી તે નીચી કક્ષાની અને ધૃણાસ્પદ ગણાવા લાગી, ત્યારથી સમાજમાં વિષમતા ફેલાઈ અને તેનું પતન થયું. (૬) દેશ, કાળ, પરિસ્થિતિ જોઈને હિતકર સુધારાનો શુભ સંકલ્પ કરવો :
જમાનો બદલાઈ રહ્યો છે. જો સમાજ જમાના અનુસાર નહીં બદલાય તો જમાનાની તેજ ગતિ તેને પલટી નાખશે. પોતાની ઇચ્છાથી દેશ, કાળ અને પરિસ્થિતિ જોઈને, સમાજના હિતનો વિચાર કરીને, યુગાનુસાર સમાજની પ્રથાઓમાં પરિવર્તન કરવું અને કાળની લપડાકને કારણે બેળેબેળે વિવશ થઈને પરિવર્તન કરવામાં ઘણું અંતર છે. જેમ એક માણસ ઘોડા પર સવાર થઈને જાય છે અને બીજો માણસ ઘોડાની પૂંછડી સાથે - ૧૩૦
રત્નત્રયીનાં અજવાળાં