________________
આવતું હતું અને છોકરીના ઘરનું પાણી પણ પીતા ન હતા. પરંતુ એ પછી કેટલાક ધનલોભી માનવીઓ કન્યાના હિત-અહિતનો વિચાર કર્યા વિના કન્યાના રૂપિયા ગણીને તેને વૃદ્ધ, બીમાર, વિકલાંગ કે બીજવર સાથે પરણાવી દેવા લગ્યા. કન્યા વેચવાનો વ્યાપાર શરૂ થયો. કેટલાક સમાજના હિતેચ્છુઓનું ધ્યાન આ અનિષ્ટ તરફ ગયું અને એમણે આ કુપ્રથાને બંધ કરવાનો કાયદો કર્યો. હવે તો કન્યાવિય લગભગ સમાપ્ત થઈ ચૂક્યો છે, છતાં ક્યારેક ક્યાંક એવો પ્રસંગ બને છે, તે પણ સમાજથી છુપાવીને.
વરવિજયઃ આજે સમાજને કન્યાવિક્રયને બદલે વરવિયનો રોગ લાગુ પડ્યો છે. આ રોગ એટલો બધો ચેપી છે કે સમાજ આવા ભયંકર ટી.બી.ના રોગને લીધે મૃતપાય બની રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં છોકરાઓ લિલામ થઈ રહ્યા છે. કન્યાપક્ષ પાસેથી ચાંદલો-વીંટીના નામે મોટી-મોટી રકમ માગવામાં આવે છે. સોનું કે સોનાનાં ઘરેણાં માગવામાં આવે છે. ઘડિયાળ, રેડિયો, સોફાસેટ, સ્કૂટર કે અન્ય ફર્નિચરની માગણી એ તો સાવ સામાન્ય વાત બની ગઈ છે. વિદેશગમનનો અને અભ્યાસનો ખર્ચ પણ માગવામાં આવે છે.
આ રીતે પારકાના અને પરસેવો પાડ્યા વિનાના ધન પર તાગડધિન્ના કરવામાં આવે છે. યુવકો માટે, છોકરાઓનાં માતા-પિતા માટે પણ આ કુરિવાજોનું પાલન ઓછું પાપજનક નથી.
બિચારા કન્યાના મધ્યમવર્ગીય પિતાની સ્થિતિ ઘણી દુઃખદ થાય છે ! એક બાજુ ઘરમાં વીસ-પચીસ વર્ષની દીકરી કુંવારી બેઠી હોય, તો બીજી બાજુ વરપક્ષને મોં માગ્યા પૈસા આપવાની શક્તિ ન હોય, ઘરમાં ખાવાનાં સાંસાં પડતાં હોય, વ્યાપાર નબળો ચાલતો હોય, મોંઘવારી વધી ગઈ હોય, તેવે વખતે મોટી વયની કન્યાના પિતાની સ્થિતિ કેટલી બધી દયનીય થઈ જાય છે ! તે વરપક્ષને ક્યાંથી આટલી મોટી રકમ કે કીમતી સાધનો લાવીને આપે ? આવી ચિંતાના ફળસ્વરૂપે કેટલાંક માતા-પિતા તો આત્મઘાત કરે છે. આ ભયંકર અનિષ્ટ આટલેથી પૂરું થતું નથી.
જો કન્યાનાં માતા-પિતાએ વરપક્ષની અપેક્ષા કરતાં ઓછું આપ્યું હોય તો તેનું વેર છોકરી પર વાળવામાં આવે છે. આવી છોકરી જ્યારે નવવધૂ બનીને સાસરામાં આવે છે, તો એને સાસુ સસરા અને નણંદોનાં
સમાજદ્ધારનો મૂળમંત્ર -
ફો
૧૩૩.