________________
સમાજના ઉદ્ધારનું કાર્ય દીપી ઊઠશે. (૫) યોગ્યને યોગ્ય કામમાં લગાવવા :
સમાજમાં હોદો, વ્યવસ્થા અને કાર્યોમાં યોગ્ય વ્યક્તિઓને નીમવાથી સામાજિક સુખ-શાંતિ અને વ્યવસ્થા ટકી રહે છે. અયોગ્ય વ્યક્તિની કોઈ પદ, કાર્ય કે વ્યવસ્થા માટે નિમણૂક કરવામાં આવે તો સઘળી વ્યવસ્થા અને સુખ-શાંતિ ખતમ થઈ જાય છે. અથગ્ય વ્યક્તિ યોગ્ય રીતે વિધિપૂર્વક કામ કરી શકતી નથી, તેથી જનસામાન્યમાં સામાજિક કામનો અસંતોષ પેદા થાય છે અને ક્વચિત આ અસંતોષનું પરિણામ બળવામાં પણ આવે છે. આથી “લોન યોન' આ મંત્ર સમાજની ઉન્નતિ માટે બહુ આવશ્યક છે. સંસ્કૃત ભાષામાં એક કહેવત છે –
__नहि वारणपणं मेहुं शक्तो वनायुजः । “હાથીની (પીઠ પરનું) પલાણ ગધેડું કદી સહન કરી શકતું નથી.” વ્યક્તિ જેને માટે યોગ્ય હોય તે જ કામ તેને સોંપવું જોઈએ. ભારતીય સમાજની પ્રાચીન ચાતુર્વર્ણવ્યવસ્થામાં આ જ ભાવના હતી. એનાથી સમાજની વ્યવસ્થા દીર્ઘકાળ સુધી ટકી રહી.
આજે વર્ણવ્યવસ્થામાં અવ્યવસ્થાને કારણે ભારતવર્ષને ઘણું નુકસાન થયું છે અને અવ્યવસ્થા વ્યાપી ગઈ છે. શરીરમાં પ્રત્યેક અવયવ પોતાના ઉચિત સ્થાને જ શોભે છે. હાથની જગ્યાએ પગ હોય અને પગની
ગ્યાએ હાથ હોય તો હાથનું કામ ન થાય કે ન તો પગનું કામ થાય. એ જ રીતે હાથનું કામ મસ્તકથી અને મસ્તકનું કામ હાથથી લેવા ઇચ્છીએ તો તે અસંભવ જણાશે. બધાં અંગો યથાસ્થાને હોય, એમાં જ શરીરની શોભા અને સુંદરતા છે. બધાં અંગો પોતપોતાનું કામ ન કરે તો તેઓ સ્વયં નકામાં થઈ જશે.
આ રીતે સમાજરૂપી શરીરમાં પણ વિભિન્ન વર્ગો કે યોગ્યતાઓ ધરાવતી વ્યક્તિઓને તેમને યોગ્ય કામ સોંપવું જોઈએ. અને તેમણે પણ પોતાને સોંપાયેલું કામ કરવું જોઈએ. આમ ન થાય તો સમગ્ર સમાજની વ્યવસ્થામાં અંધાધૂંધી થઈ જશે. આ વિષયમાં એક ઐતિહાસિક ઉદાહરણ લઈએ –
બાબર અત્યંત મહેનતુ હતો. એક વાર ચડાઈ કરવા છતાં તે ભારત સમાજોદ્ધારનો મૂળમંત્ર છે
૧૨૯
ક
*