________________
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
આત્માના ઉદ્ધાર વિશે થોડી વિચારણા કરીએ. આત્માના ઉદ્ધારની વાત સાંભળીને તમારા મનમાં કદાચ એ શંકા જાગે કે આત્મા તો શુદ્ધ, બુદ્ધ, નિરંજન, જ્ઞાનસ્વરૂપ છે, તો પછી એના ઉદ્ધારની જરૂર શી? જૈનદર્શન નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિથી વસ્તુને ચકાસે છે. આત્મા શુદ્ધ, બુદ્ધ અને જ્ઞાનમય હોવાની વાત નિશ્ચયર્દષ્ટિથી તો સાચી છે, પરંતુ વ્યવહારષ્ટિથી આ આત્મા પોતાની જાતને ભૂલીને શરીર અને શરીર સાથે સંબંધિત અન્ય વસ્તુઓ ઉપર આસક્ત થતો રહેશે ત્યાં સુધી કર્મબંધનમાં બંધાતો રહેશે. પોતાની શુદ્ધતા અને જ્ઞાનપણા પર આવરણ નાખતો રહેશે, એટલે જ આત્માના ઉદ્ધારની અનિવાર્યતા છે. એક વિચારકે આત્માને સંબોધીને કહ્યું છે - देहं विमुझ कुरुषे किमचं न वेत्सि,
देहस्व एव भजसे भवदुःखजालम् । लोहाश्रितोऽपि सहते घनघातमग्नि
बाधा न तेऽस्य न च भो वदनाश्रयत्वे ॥ .
-“હે આત્મન ! તું દેહ પર મોહિત થઈને પાપ કરે છે. શું તું એ નથી જાણતો કે તું શુદ્ધ, ચિદાનંદમય હોવા છતાં પણ દેહમાં રહીને
જન્મમરણનાં દુઃખ સહી રહ્યો છે ? જેમ પવિત્ર આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ