________________
પોતાનો મિત્ર બને છે. આવી સ્થિતિમાં આપણું કર્તવ્ય છે કે આપણે મિત્ર આત્મા સાથે મૈત્રી કરીએ અને શત્રુ આત્મા સાથે વેર કરીએ. શત્રુ આત્મા આપણને ઘોર કષ્ટોમાં નાખે છે. નિમિત્ત છોડી ઉપાદાનને પકડો
આ દુરાત્માએ જેટલું આપણું અહિત કર્યું છે, તેટલું બીજા કોઈએ નથી કર્યું. માથું વાઢી નાખનાર દુશ્મન તો અનિત્ય શરીરનો નાશ કરે છે, નિત્ય આત્માનો નહીં, પરંતુ દુરાત્મા તો અનેક ભવમાં ભટકાવીને અનેક વાર માથું કાપે છે, દુઃખમાં નાખે છે.
દુષ્ટ આત્મા પોતાનું મસ્તક પોતાની જાતે જ કાપે છે. માથું વાઢી નાખનારા શત્રુ પ્રતિ દ્વેષ, વૃણા કે વેર-વિરોધનો ભાવ ન રાખવામાં આવે તો તે આત્માને કશી હાનિ પહોંચાડી શકતો નથી, એટલું જ નહીં, ગજસુકુમાર મુનિની જેમ તાત્ત્વિક દૃષ્ટિથી ચિંતન કરવામાં આવે તો તે આત્માની મુક્તિમાં સહાયક પણ બની શકે છે.
નિશ્ચયર્દષ્ટિથી વિચાર કરીએ તો આત્મા ખરાબ કર્મોનાં કારણે પોતાનું માથું જાતે જ કાપે છે, જો ખરાબ કર્મ ન કર્યા હોય તો, કોઈ એ આત્માનું કશું અહિત કરી શકતું નથી. આથી દુરાત્માને કંઠછેદન કરનારા શત્રુ કરતાં પણ વધારે ખરાબ શત્રુ સમજવો જોઈએ.
સિંહની જેમ જ્ઞાનસ્વરૂપ આત્મા બનીને નિમિત્તને ન પકડતાં ઉપાદાનને પકડો – એટલે કે, જો કોઈ માથું કાપી રહ્યો હોય તો, જ્ઞાનસ્વરૂપ આત્મા એમ જ સમજે છે કે આ તો બિચારો નિમિત્ત માત્ર છે, વાસ્તવમાં મારો દુષ્કર્મકારી આત્મા જ પોતાનું માથું કપાવી રહ્યો છે. આવું જ્ઞાન થઈ જશે તો આત્મા કોઈ બીજાં (નિમિત્ત) સાથે યુદ્ધ ન કરતાં પોતાના આત્મા સાથે જ ઝઝૂમશે. પરંતુ કૂતરાની જેમ જ્ઞાનવિકળ આત્મા બનીને નિમિત્તને ન પક્કો. કૂતરાને કોઈ લાકડી મારે છે તો એ મારનાર પર હમલો ન કરતાં લાકડી પર હુમલો કરે છે. આ જ રીતે અજ્ઞાની આત્મા વિભિન્ન નિમિત્તોને દોષ આપ્યા કરે છે અને પોતાના ઉપાદાન(આત્મા)ને નથી સુધારતો. તેથી જ્ઞાનસ્વરૂપ આત્મા બનીને કોઈ દુઃખ કે સંકટના સમયે નિમિત્ત પર દોષારોપણ ન કરીને પોતાના આત્મા(ઉપાદાન)ને જ જુઓ અને તેને સુધારો.
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૧o.
છે