________________
કામદેવ શ્રાવક એમ વિચારતો રહ્યો – મારા અંતઃકરણમાં આત્મા અને શરીરની જે પૃથતા તથા–આત્માના અમરત્વની શ્રદ્ધાની આ દેવ કસોટી કરી રહ્યા છે. જો કામદેવ આ દેવે બતાવેલા ભયથી ડરી ગયા હેત, તો તેઓની શ્રદ્ધા વિચલિત થઈ જાત, પરંતુ એ દેહ પ્રત્યેની અહંતા-મમતા છોડીને આત્માની નિત્યતાને સમજી ચૂક્યા હતા. “શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે –
_ "नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । ____न चैनं फ्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥"
આત્માને તલવાર વગેરે શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, પાણી તેને ભીંજવી શકતું નથી અને હવા તેને સૂકવી શકતી નથી.” - આત્મા તો અજર-અમર, નિત્ય અને અવિનાશી છે અને પોતાની જ્ઞાનશક્તિ દ્વારા વ્યાપક છે. તે ક્યારેય પોતાના મૂળ સ્વભાવ(ગુણ)ને ત્યજતો નથી. તો શરીર ખોખું છે અને નાશવંત છે.
પરિણામે કામદેવ શ્રાવક તો પરીક્ષા કરવા આવેલા દેવને કહે છે,
“મારો આત્મા ક્યારેય તલવારથી કપાશે નહીં. તું મારાં અંગો કાપવાનું કહે છે. મારા શરીરના તારાથી થાય એટલા ટુકડા કરી લે, પણ મારા આત્માના ટુકડા 'તું કરી શકીશ નહીં. તું જ હારી જઈશ. હું તો મારા સિદ્ધાંત પર અચલ છું ને મને કોઈ ભય નથી.” આટલી આત્મશ્રદ્ધા ધરાવનારને દેવ-દાનવ ક્યાંથી હરાવી શકે ?
કામદેવની શ્રદ્ધાને દેવ ડગાવી શક્યા નહીં. આમ શરીરને નાશવંત અને આત્માને અવિનાશી સમજનારને શરીરના નાશથી કોઈ દુઃખ થાય ખરું? આત્મતત્ત્વનું જ્ઞાન થયા બાદ શરીરના ટુકડે-ટુકડા થઈ જાય તો પણ દુઃખનો કોઈ સ્પર્શ થતો નથી. અવિનાશી વસ્તુ સ્વયંરક્ષિત હોય છે, તેને રક્ષાની જરૂર હોતી નથી. રક્ષાની ચિંતા તો વિનાશી વસ્તુને હેય. શરીર વિનાશી હોવાથી તેની રક્ષા કરવી જોઈએ, પણ આત્મા તો અવિનાશી છે તેથી તેની રક્ષાની કોઈ જરૂર નથી. વિનાશી – અવિનાશીનો ભેદ
દુર્ભાગ્યે આજે લોકો અવિનાશી આત્માને ભૂલીને તેને મિત્ર બનાવવાને ૧૧ર
રત્નગરીનો અજવાળો