________________
શુદ્ધ આત્મજ્ઞાનનું તેજ નીચેની રીતે આવવા દે.
एकः सदा शाश्वतिको ममाऽत्मा, विनिर्मलः साधिगमस्वभावः । बहिर्भवाः सन्त्यपरे समस्ताः न शाश्वताः कर्मभवाः स्वकीयाः ॥
“મારો આત્મા એકલો છે, નિત્ય છે, વિશુદ્ધ અને જ્ઞાનસ્વરૂપ છે. બાકીના બધા પદાર્થ પરભાવ છે, તે શાશ્વત કે પોતાના નથી, બલ્ક કર્મજન્ય છે.”
શત્રુ એ અને મિત્ર તે
પ્રત્યેક આત્મામાં એવી શક્તિ છે કે તે ઉત્તમમાં ઉત્તમ વસ્તુને નિકૃષ્ટમાં નિકૃષ્ટ બનાવી શકે છે અને નિકૃષ્ટમાં નિકૃષ્ટને શ્રેષ્ઠ બનાવી શકે છે. દુષ્કર્મમાં ડુબેલો આત્મા પોતાનો જ શત્ર બને છે અને સત્કર્મમાં ડૂબેલો આત્મા પોતે જ પોતાના મિત્ર બને છે. આત્મા દુષ્કર્મમાં કેવી રીતે ડૂબે છે અને સત્કર્મમાં કેવી રીતે પ્રવર્તમાન થાય છે, તેને વધુ વિશદતાથી સમજીએ.
વ્યક્તિને અત્યંત પુણ્યોદયથી પંચેન્દ્રિયદશા પ્રાપ્ત થાય છે, તેથી પાંચેય ઈદ્રિયો, શરીર, મન, વાણી અને બુદ્ધિ જેવાં સાધન સાંપડ્યાં છે. આ સાધનો એટલાં ઉત્કૃષ્ટ છે કે એના દ્વારા આત્મા પુણ્યકર્મનું ઉપાર્જન કરે, તો એ પોતાનો મિત્ર બની જાય છે અને આ જ સાધનોનો દુરુપયોગ કરીને આત્મા પાપ-ઉપાર્જન કરે તો પોતાનો શત્રુ બની જાય છે. પોતાના કાનના ઉપયોગથી ધર્મોપદેશ સાંભળે, ભગવદ્વાણીનું શ્રવણ કરે કે કોઈ સંસ્કારી વાત સાંભળે, તો આત્મા પોતાની જાતને મિત્ર બનાવે છે અને એ જ કાનથી કોઈની નિંદા, અપશબ્દ, અશ્લીલ વાત કે મોહવર્ધક રાગરંગ સાંભળે તો આત્મા પોતાનો શત્રુ બને છે. આ આંખોથી જ સંત-મહાત્માનાં પાવન દર્શન કરી શકાય અને આ જ આંખોથી વેશ્યાનું નૃત્ય, અશ્લીલ નાટકસિનેમા પણ જોઈ શકાય છે.
આમ શું જોવાથી આત્મા મિત્ર બને છે અને શું નિહાળવાથી શત્રુ બને છે, તે તમે પોતે જ વિચારી શકો છો. પોતાના શરીરને તપ-જપ, સેવા વગેરે શુભ કાર્યોમાં યોજીને સદુપયોગ કરી શકાય અને આ જ શરીરનો અતિ ભોજન, એશ-આરામ કે અનિષ્ટકારક કાર્યોમાં પ્રવૃત્ત રાખીને દુરુપયોગ પણ કરી શકાય. આ જ રીતે માનવીએ પોતાને સાંપડેલાં આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
. ૧૯
કિક