________________
કર્મોનાં આવરણોથી ઢંકાયેલી છે અને પરમાત્માની શક્તિ કર્મક્ષયના કારણે સમસ્ત આવરણોથી અલગ પૂર્ણરૂપમાં પ્રગટ થયેલી છે.
આપણી શક્તિ પૂર્ણરૂપથી પ્રગટ નથી થઈ. તેને પૂર્ણરૂપથી પ્રગટ કરવા માટે સરળ માર્ગ એ છે કે પરમાત્મા પ્રતિ આત્મામાં પરિપૂર્ણ પ્રેમ જાગ્રત થઈ જાય. તે પ્રેમ એવો હોવો જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પરમાત્માનું ધ્યાન ખંડિત થવું જોઈએ નહીં. હંમેશાં આ જ ધ્યાન રહે –
“સિદ્ધો સુદ્ધો:૬ અનંતળાવિગુણામો ” “મારો આત્મા સિદ્ધ છે, શુદ્ધ છે, અનંતજ્ઞાન વગેરે નિજગુણોથી યુક્ત છે.
આ જ વાતનો નિર્દેશ શ્રાવક વિનયચંદ પોતાની “ચોવીસી'માં કરે છે. - - “તૂ સો પ્રભુ પ્રભુ સો તૂ હૈ, હૈતકલ્પના મેટો,
શુદ્ધ, ચેતન, આનંદ વિનયચંદ' પરમાતમ પદ મેટો.” આ રીતે આત્મા હંમેશાં પરમાત્મધ્યાનમાં તલ્લીન રહેશે તો તેનાં સમસ્ત આવરણ હટી જશે. તે સમયે આત્મા સ્વયમેવ પરમાત્મા બની
જશે.
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, શ્રાવણ સુદ ૧૨
આભા બને પરમાત્મા
આત્મા અને પરમાત્મા
૮૩
'