________________
સમાસરહિત પદ હોય છે, તેમના વાચ્ય પદાર્થ આ જગતમાં જરૂર હોય છે, પરંતુ જે પદ સમાસયુક્ત હોય છે એના વાચ્ય પદાર્થ કદાચિતું નથી પણ હતા.
ઉદાહરણ તરીકે શશશ્ચંગ કે આકાશપુષ્પ આ બંને પદ સમાસયુક્ત છે. આ સામાસિક પદોના વાચ્ય પદાર્થ કોઈ નથી, પરંતુ જ્યારે એ બંને પદોને અલગ કરવામાં આવે તો તે મળે છે. શશ એટલે સસલું. શૃંગ એટલે શીંગડું. આ બંને જગતમાં જોવા મળે છે. આ રીતે આકાશ અને પુષ્ય બંને જગતમાં છે, પરંતુ “આત્મા' પદ તો સમાસરહિત છે, તેનો વાચ્ય આત્મા નામનો પદાર્થ અવશ્ય હોવો જોઈએ, તેથી હાથી, ઘોડો વગેરે અસામાજિક જેટલા પણ શબ્દ છે તેમના વાર્થોનું અસ્તિત્વ સિદ્ધ છે, તો પછી આત્મા નામના એકલા અસામાસિક પદના વાચ્ય પદાર્થનું અસ્તિત્વ અવશ્ય સિદ્ધ થશે.
જ્ઞાતા અને દ્રષ્ટા
હવે લો આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે પુરાવો. આત્માની બાબતમાં પ્રથમ સાબિતી તો સ્વાનુભવ જ છે. જ્યારે તમે એમ કહો. છો કે “હું છું', “હું અમુક છું ત્યારે એમ કહેનાર કોણ છે ? આત્મા જ છે ને ! આત્મા સ્વયં જ પોતાના અસ્તિત્વનો સાક્ષી છે. | તમે વિચાર કરો કે તમે સ્વયં શું છો ? જડ છો કે ચેતન ? જો તમે જડથી ભિન્ન-ચેતન છો, તો તમારું પોતાનું સ્વરૂપ શું છે? શું તમે હાડકાં, માંસ, ચામડી, લોહી, મજ્જા કે શરીર અથવા શરીરના કોઈ અંગોપાંગના રૂપમાં છો ? કે પછી તમારું પોતાનું સ્વરૂપ આ બધાથી નિરાળું છે ? એ અગાઉ સિદ્ધ થયું છે કે આત્મા આ બધાથી નિરાળો છે, આ બધાનો જ્ઞાતા-દ્રષ્ટા છે.
અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. કોઈ કહે કે અમે તો આત્માને પ્રત્યક્ષ બતાવો, તો જ માનીશું.
પ્રદેશી નામનો રાજા નાસ્તિક અને નિર્દય હતો. આત્માની વાતો કરનારા લોકોને તે પ્રત્યક્ષ દેખાડવાનું કહેતો. એ જીવિત શરીરને ટુકડે-ટુકડા કરીને જોતો કે તેમાં કોઈ આત્મા નામનો પદાર્થ છે કે નહીં ! આ રીતે આત્માનો સ્વીકાર કરનારા સહુને નિરુત્તર કરી દેતો હતો, કારણ કે - સત, ચિત અને.. |
ક