________________
ભિન્નતા નથી. બધાના ગુણ એકસરખા છે, પરંતુ મેઘપટલ (વાદળ) વગેરે આડાં આવી જવાથી તેમના પ્રકાશમાં ભિન્નતા દેખાય છે.
આ જ રીતે બધા આત્માઓ સ્વભાવ અને ગુણથી સમાન હોવા છતાં પણ કમજનિત આવરણોના કારણે ગુણોના વિકાસમાં ભિન્નતા હોવાથી જુદા જુદા પ્રકારના દેખાય છે. આથી આવી ભિન્ન ભિન્ન ગતિઓ, યોનિઓ કે ઈદ્રિયો વગેરેને કારણે દેખાતી ભિન્નતા આત્માનું સ્વરૂપ નથી. આ બધી ભિન્નતા ઔપાધિક (બાહ્ય રીતે પેદા થયેલી) છે અને કર્મજનિત ઉપાધિઓના કારણે છે.
જ્યાં સુધી આ ઉપાધિઓ છે, ત્યાં સુધી જીવમાં એકબીજાથી ભિન્નતા પ્રતીત થાય છે. આ ઉપાધિઓ કર્મને લીધે છે. દરેક જીવનાં જુદાં જુદાં પ્રકારનાં કર્મ હોય છે, તેથી કર્મજન્ય કારણો પણ જુદાં જુદાં હોય છે. આ કારણે જીવોમાં વિવિધતા અને વિદેશના પ્રતીત થાય છે.
કોઈ ત્રસ છે તો કોઈ સ્થાવર છે. કોઈ નારક છે, કોઈ મનુષ્ય, દેવ કે તિર્યંચ છે. કોઈ જળચર, સ્થળચર કે ખેચર' છે. કોઈને માત્ર એક જ સ્પર્શેન્દ્રિય છે. કોઈને બે, કોઈને ત્રણ, ચાર કે પાંચ ઈદ્રિયો છે, પરંતુ આ પૃથકતા કે વિવિધતા સ્વાભાવિક નથી, વૈભાવિક કે પાધિક
જેમ જેમ કર્મ કપાય છે, તેમ તેમ આત્મા નિરાધિક થતાં વિકાસ પામે છે. જ્યારે કર્મ સર્વથા દૂર થઈ જાય છે અને કોઈ પ્રકારની ઉપાધિ રહેતી નથી એટલે કે આત્મગુણ પર બાહ્ય (પર) ભાવોનો પ્રભાવ પૂર્ણરૂપથી દૂર થાય છે, ત્યારે આત્મા વિશુદ્ધ થઈને પોતાના મૂળ (શુદ્ધ) સ્વરૂપમાં આવી જાય છે. શુદ્ધ સ્વરૂપમાં આવી ગયેલા બધા આત્માઓ એકસમાન છે. તેમનામાં સત્તા (વ્યક્તિત્વ) ભિન્નતા જરૂર હોય છે, પણ ૧. તિર્યંચ – સાંસારિક જીવોની ચાર ગતિ છે – નરક, દેવ, મનુષ્ય અને તિર્યચ. પશુ, પંખીઓ વગેરે તિર્યંચ ગતિના જીવો છે. મનુષ્યજાતિ સિવાયનાં જે પ્રાણીઓ તે તિર્યંચ ગતિના જીવો કહેવાય. આ જીવો જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારના
હોય છે. ૨. ખેચર – જીવો બે પ્રકારના છે (૧) ચામડાની પાંખવાળા ચર્મપક્ષી જીવો; જેવા કે
ચામાચીડિયાં, વાગોળ વગેરે. (૨) રુવાંટીની પાંખવાળા રોમપક્ષી જીવો; જેવા કે પોપટ, કાગડા, કબૂતર, ચક્લાં, બતક, ગીધ, ઘુવડ વગેરે. ૦૬
રત્નત્રયીનાં અજવાળાં હું