________________
બની શકે છે. માત્ર શરત એટલી જ કે તે બંધનોથી મુક્ત હોવો જોઈએ.
સવાલ એ જાગે છે કે પરમાત્માની જેમ આત્મા પણ સર્વશક્તિમાન છે, તો પછી તેણે પરમાત્માના શરણમાં જવાની અને પરમાત્મા પાસે સહાયતા માગવાની જરૂર શી? વાસ્તવમાં જ્યારે આત્મા પૂર્ણ શુદ્ધ બનીને પરમાત્મસ્વરૂપ બની જાય છે, ત્યારે તેણે કોઈના શરણે જવાની, સહાયતા માગવાની કે આરાધના કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે જ્ઞાની પુરુષો શુદ્ધ વીતરાગ આત્માને જ પરમાત્મા માને છે. તેથી તેઓ કહે
“यः परमात्मा स एवाऽहं, यीऽहं सः परमस्ततः । ગમેવ મયાગsiાગો, તાવઃ શિિિત સ્થિતિઃ !”
જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. એટલે હું જ મારા દ્વારા આરાધ્ય છું. આત્માથી ભિન્ન કોઈ આરાધ્ય નથી, આ જ મારી સ્થિતિ છે.”
પરંતુ વ્યવહારમાં આત્મા પૂર્ણ શુદ્ધ ન હોવાથી પરમાત્માનું શરણ અને સહાયતા ચાહે છે અને આરાધના અને સાધન પણ કરવા ઇચ્છે
સમાન છતાં ભિન્ન
હવે પ્રશ્ન એ છે કે જ્યારે બધા આત્માઓ સ્વભાવથી સમાન છે તો પછી સંસારી આત્માઓમાં આ ભિન્નતા કેમ દેખાય છે ? નરકની યાતના ભોગવનાર નારકીનો આત્મા અને એક શ્વાસમાં ૧૮ વાર જન્મમરણ કરનારા નિગોદનો આત્મા સમાન છે. સ્વર્ગના રાજા ઈન્દ્ર, પૃથ્વીકાય વગેરેના રૂપમાં રહેવાવાળાં સ્થાવર તથા પશુ-પક્ષી, કીડા-પતંગિયાં વગેરે સહુનો આત્મા મૂળરૂપમાં સમાન છે, તો પછી વિભિન્ન ગતિઓ, યોનિઓ, ઈદ્રિયો વગેરે કારણે જીવોમાં વિવિધતા, વિદેશતા અને ભિન્નતા કેમ દેખાય છે ?
જ્ઞાની પુરુષો કહે છે કે આ વિભિન્નતાઓ આત્માના સ્વભાવ કે સ્વરૂપની અપેક્ષાએ હોતી નથી. સ્વરૂપની અપેક્ષાએ તો “જે કાયા' કહીને આત્મદ્રવ્યનું એકત્વ દર્શાવીને બધાનો આત્મા સમાન બતાવ્યો છે. જેવી રીતે બધા સૂર્ય સ્વભાવથી સમાન છે. બધા ચંદ્રમાં પણ સ્વભાવની કોઈ
આત્મા અને પરમાત્મા
o૫