________________
પ્રકૃતિ અને અભદ્ર વ્યવહારથી અમે બધા કંટાળી ચૂક્યા છીએ. તે પોતાના કુટુંબીજનો સાથે તો કંકાસ કરે છે, પણ અમારી સાથે પણ ઝઘડા કરે છે. એની વાણીમાં ભારોભાર કટુતા છે. સાસરે આવતાં પૂર્વે પિયરમાં પણ તેની આવી જ પ્રકૃતિ હતી. શેઠનું માન રાખીને અમે કશું કહેતાં ખચકાઈએ છીએ.”
ભગતે પૂછ્યું, “એના કોઈ ઈષ્ટદેવ છે કે નહીં ?”
પડોશી બોલ્યા, “કેમ નહીં ? ભગવાનની પૂજા-ભક્તિમાં તો આ રોજ બે-ત્રણ કલાક ગાળે છે, પરંતુ તેની પ્રકૃતિમાં કોઈ ફેર પડતો નથી.”
ભગત બોલ્યા, “સારું, જો એને ભગવાન પર થોડીકે ય શ્રદ્ધા છે, તો મને વિશ્વાસ છે કે એક દિવસ એની પ્રકૃતિ અવશ્ય સુધરશે. હું પ્રયત્ન કરીશ.”
ભગત ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે રાત્રે ભગવાનને ઘણી પ્રાર્થના કરી કે, “ભગવાન ! કોઈ એવો ઉપાય બતાવો કે જેથી હરિકૃષ્ણ શેઠની પુત્રવધૂની પ્રકૃતિ સુધરી જાય અને તે તમારી ભક્તિનું સાચું રહસ્ય સમજે.”
ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને કહ્યું, “ભગત, તમે તે સ્ત્રીને કહી દો કે જો એ પોતાની પ્રકૃતિ નહીં સુધારે તો હું તેના ઘરમાં નહીં રહું અને તમારી સાથે ચાલ્યો જઈશ. તેણે મને રાખવો હોય, મારી કૃપા પામવી હોય, તો સાચો ઉપાય એ છે કે તેણે પોતાની પ્રકૃતિ સુધારવી અને મારા ભક્તો સાથે અભદ્ર વ્યવહાર ન કરવો.” આ સ્વપ્ન જોઈને ભગત તરત જાગી ગયા અને સીધા જ ફૂલાંબાઈને ઘેર પહોંચ્યા. પરોઢનો સમય હતો. ગાત્ર થિજાવે તેવી ઠંડી પડી રહી હતી. ફૂલાંબાઈના ઘરનાં બારણાં બંધ હતાં, તેથી ભગતે બારણા પર ટકોરા માર્યા.
ફૂલાંબાઈએ બારણે આવીને પૂછ્યું, “કોણ છે આ રાતના સમયે ?”
ભગત બોલ્યા, “બહેન, હું ભગત છું. બારણું ખોલો. ભગવાનનો એક સંદેશો સંભળાવવા આવ્યો છું.”
ફૂલાંબાઈ બોલ્યાં, “તે હશો ભગત ! કોણ જાણે તમારો વિચાર બદલાઈ પણ ગયો હોય ! હું અત્યારે બારણું નહીં ખોલું, બોલો, ભગવાનનો
- રત્નત્રયીનાં અજવાળાં
(
૪૨