________________
ભગત બોલ્યા, “બહેન ! જેવી રીતે તારા એક પુત્ર સાથે અભદ્ર વ્યવહાર કરનારનું તું મુખ પણ જોવા ઈચ્છતી નથી, પછી ભલે ને એ વ્યક્તિ તને સોનાની થાળીમાં મધમીઠું ભોજન કેમ ન ખવડાવે ! તેવી જ રીતે ભગવાન માટે તો વિશ્વના તમામ માનવીઓ સંતાન સમાન છે. આથી કહેવાયું છે -
“શિવ મતિ |
ત્તિો નાતો નારે મિત્રતનું ” આ આખો સંસાર પ્રભુમય છે અને પ્રભુ જ સર્વસંસારમય છે. (સર્વ જગતમાં વ્યાપ્ત છે.) પ્રભુથી અને જગતથી ભિન્ન આ શરીર નથી.” સંત તુલસીદાસે કહ્યું છે –
સિવારના સવ પણ નાની |
करहुँ प्रणाम जोरि जुग यानी ।" સીતારામમય સર્વ જગત છે. તેને બંને હાથ જોડીને પ્રણામ કરું
ભગવાનનાં પુત્ર-પુત્રીઓને તમે મારો, ગાળો આપો અને ભગવાનને સોનાની થાળીમાં ભોગ ચડાવો, તો ભલા ભગવાન તેનો કઈ રીતે સ્વીકાર કરે ?” ફૂલાંબાઈ બોલ્યાં, “નહીં કરે.” ભગત કહે, “બસ, આ જ કારણથી ભગવાન તારે ઘેર રહેવા નથી માગતા.”
ફૂલાંબાઈએ પશ્ચાત્તાપપૂર્વક કહ્યું, “હવે હું સમજી. પરંતુ ભગતજી, એવો કોઈ ઉપાય છે કે જેથી ભગવાન તમારી સાથે ન આવે અને મારા ઘરમાં જ બિરાજમાન રહે?” ભગતે કહ્યું, “એવો ઉપાય છે અને તે ઉપાય તો તમારા હાથમાં જ છે.”
ફૂલાંબાઈએ કહ્યું, “મારા હાથમાં કેવી રીતે? હું સમજી નહીં.”
ભગત બોલ્યા, “જો, તું આજથી જ એમ સમજે કે આખો સંસાર ભગવાનનાં સંતાનોથી ભરપૂર છે અને હું પણ ભગવાનની છું. આથી આજથી જ પ્રતિજ્ઞા કરી લે કે હવેથી હું કોઈની સાથે લડાઈ-ઝઘડા નહીં કરું, ગાળો નહીં આપું, ચાડી-ચુગલી, દ્વેષ, છળકપટ કે મારપીટ નહીં કરે. બધાની સાથે વ્યવહાર રાખીશ. સહુ પર દયા, સ્નેહ, કરુણા, વાત્સલ્ય, સહાનુભૂતિ અને ક્ષમા રાખીશ. યથાશક્તિ જનતાની સેવા કરીશ,
રત્નત્રયીનાં અજવાળાં
૪૪