________________
હતો. તેણે મોસ્કોમાં મોટું દેવળ (ચર્ચા) બનાવવાનું શરૂ કર્યું. તે ખુદ દર રવિવારે તેમાં પ્રાર્થના કરવા માટે જતો. આના કારણે રવિવારે પ્રાર્થનામાં આવનારની સંખ્યા પચાસ હજાર જેટલી વધી જતી.
સમ્રાટ પીટરે દેવળના પાદરીને કહ્યું, “મારી પ્રજા કેટલી ઈશ્વરભક્ત છે !”
પાદરી સમજતો હતો કે સંખ્યાબળ એ ઈશ્વરભક્તિની પારાશીશી નથી અને સમ્રાટનો આ ભ્રમ છે, પરંતુ કદાચ આ કટુ સત્યને સાંભળવા સમ્રાટના કાન તૈયાર ન હોય, તેથી તે ખામોશ રહ્યા. અગાઉના શનિવારની રાત્રે પાદરીએ મોસ્કોની આમજનતામાં જાહેરાત કરાવી કે, “કાલે પ્રાર્થનામાં બાદશાહ નહીં પધારે.” બીજા દિવસે, રવિવારે સવારે બાદશાહ પીટર દેવળમાં પ્રાર્થના કરવા આવ્યા, તો તેમણે આશ્ચર્યચકિત થઈને જોયું તો માત્ર સાત વ્યક્તિઓ જ પ્રાર્થના કરવા આવી હતી.
પાદરીએ આ પરિસ્થિતિનું રહસ્ય દર્શાવતાં કહ્યું, “પ્રજા રાજાની ભક્ત છે, ભગવાનની નહીં. તે માત્ર તમારી નજરમાં પોતાને સારા દેખાડવાની ઇચ્છાથી, સમાજમાં સન્માન પામવા માટે અથવા તો પોતાની અનેક પ્રકારની સ્વાર્થસિદ્ધિ માટે ધાર્મિક સ્થાનોમાં અથવા પૂજા-ભક્તિનાં સ્થાનોમાં આવે છે, ઈશ્વરની ખરી પૂજા-ભક્તિ માટે નહીં.”
પરમાત્માની સેવા-ભક્તિ માત્ર બીજાને દેખાડવા માટે કરવામાં આવે તો ફળદાયી બનતી નથી. પરમાત્માની સેવાની રીત જ અનોખી છે. સહુ કોઈ સમજે છે કે નિરંજન, નિરાકાર, સિદ્ધ પરમાત્માનું માથું નથી દુઃખતું કે જેથી તમે તેમનું મસ્તક દબાવીને તેમની સેવા કરી શકશો અથવા તો એ શરીરમાં કોઈ વ્યાધિ નથી, કે જેથી તમે તેમને દવા લાવીને આપી શકો. ભગવાનને કોઈ પગચંપીની આવશ્યક્તા નથી કે નથી કોઈ આહાર-પાણીની. આથી પરમાત્માની સેવાની આગવી રીત જાણી લેવી જોઈએ.
પરમાત્માની સેવાની એક રીત એ કે તેમના નામસ્મરણની સાથે સાથે તેમનું કાર્ય પણ કરવું. નામસ્મરણ કે સ્તુતિ તો તેમના ગુણોને યાદ કરવા માટે છે. પરિણામે આપણે તેમના ગુણોને થોડાક પણ આપણા જીવનમાં ઉતારી શકીએ. જે ભગવાનનું નામ લઈને તેમનું જરાય કામ કરતા નથી અથવા તો વિરોધી (તની આજ્ઞાની વિરુદ્ધ) કાર્ય કરે છે, તે સેવાભક્તિ
પપ .
છે
કે