________________
તીર્થંકર ભગવાન બધા કાળ(યુગ)માં પ્રત્યક્ષ હોતા નથી. તેઓ મહાવિદેહક્ષેત્રમાં રહે છે ખરા, પરંતુ ભરતક્ષેત્રમાં તે દરેક યુગમાં વિદ્યમાન નથી હોતા, તો પછી તે તીર્થકર ભગવંતો(મુક્ત ઈશ્વર)ની સેવાભક્તિ કેવી રીતે કરી શકાય ?
વાસ્તવમાં, સિદ્ધ ઈશ્વર કે મુક્ત ઈશ્વરની સેવાનું રહસ્ય એ છે કે તેમની આજ્ઞાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ. એટલા માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યએ “વીતરાગસ્તુતિ કરતાં કહ્યું -
“વ સમસ્ત વીર-પરિવાતન” “હે ભગવાન! તમારી વાસ્તવિક સેવા તો તમારી આજ્ઞાઓનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું તે જ છે.”
આનો અર્થ એ કે જે ઈશ્વર(સિદ્ધ કે મુક્ત)ની વાસ્તવિક રૂપે સેવા કરવા માગે છે, તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ વગેરે વ્રતો અને નિયમોનું પાલન અને ધર્મઆજ્ઞાઓનું શ્રદ્ધાપૂર્વકનું પાલન કરવું જોઈએ. પોતાના જીવનમાં જેઓ એક તરફ ઈશ્વર(સિદ્ધ કે અહંન્ત)ને નમન-વંદન કરે છે, તેમના નામનો જપ જપે છે અને તેમની હાજરીમાં તેમને આહાર-પાણી વગેરે સ્વરૂપે ભિક્ષા આપે છે, પરંતુ જીવનમાં ઈશ્વરથી વિપરીત આચરણ કરે છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, કલહ, ઈર્ષા, છલ-પ્રપંચ, દગો વગેરે દુર્ગુણોને અપનાવે છે, તેઓ ઈશ્વરની વાસ્તવિક સેવા નથી કરતા.
એક પુત્ર પોતાના પિતાનાં ચરણોમાં ખૂબ નમન કરે, તેમની પ્રશંસા કરે, વારંવાર તેમનું નામ લે, તેમની સામે હાથ જોડીને ઊભો રહે, પરંતુ પિતા કોઈ વાતમાં આજ્ઞા કરે તો એને સાંભળ્યું ન સાંભળ્યું કરી દે, તેમના આદેશને ઠુકરાવી નાખે, તેમનું અપમાન અને અવગણના કરે અથવા બદનામી કરાવે, તો શું આ પુત્ર દ્વારા પિતાની થયેલી વાસ્તવિક સેવા ગણાય ? આવો પુત્ર સુપુત્ર કહેવાય ખરો ? ના. એવી જ રીતે જે ભગવાનને વંદના-નમસ્કાર કરે, હાથ જોડે, પૂજા-પાઠ કરે, સતત નામસ્મરણ કરે, પરંતુ તેમની આજ્ઞાઓને ઠોકર મારે અથવા તેમની બદનામી થાય એવાં અધર્મ કાર્ય કરે, તેમના આદેશો અને સંદેશ પર જરા પણ ધ્યાન ન આપે, ફક્ત પોતાની સ્વાર્થપૂર્તિ સાધવા માટે, પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત ની સાચી સેવાભક્તિ