________________
કલ્પના માને છે. આવી વિચારધારા ધરાવનારા લોકો મોટે ભાગે સ્વચ્છન્દી
જીવન પસંદ કરે છે. તેઓ પોતાના જીવનમાં કોઈ મર્યાદા, બંધન કે નિયંત્રણ ઈચ્છતા નથી. આહાર-વિહારના સંબંધમાં પણ આવા લોકોના કોઈ દઢ વિચાર હોતા નથી. ગમ્યાગમના સંબંધમાં પણ તેઓ માનવીય મર્યાદાઓનું પાલન કરતા નથી. ચાર્વાકદર્શનનો મત છે –
'मातृयोनि परित्यज्य विहरेत् सर्वयोनिषु' માતા સિવાયની દરેક સ્ત્રી સાથે સહવાસ કરો.”
આવો અમર્યાદ યૌનસંબંધ શું સમાજવ્યવસ્થાને સુરક્ષિત રાખી શકે ? તેવી જ રીતે – “Eat, drink and be merry” “ખાઓ, પીઓ અને મજા કરો” આ પણ વિચારસરણીમાં તેમના ભાઈઓ જેવા ભૌતિકવાદીઓનો મત છે. જેમકે આચાર્ય બૃહસ્પતિ કહે છે –
"यावाजीवेत्सुखं जीवेत् ऋणं कृत्वा घृतं पिवेत् ।
ભસ્મીભૂતાય તેહથ પુનરામ સુતઃ !”
જ્યાં સુધી જીવો, ત્યાં સુધી સુખપૂર્વક જીવો. (તપ, ધર્મ માટે કષ્ટ સહન કરવાની તથા વ્રતપાલન વગેરેની શી આવશ્યકતા છે ?) દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. આ શરીર મૃત્યુ પામશે ત્યારે તેને ભસ્મ કરી નાખવામાં આવશે, પછી ફરીથી આવવાનું નથી.”
આનો અર્થ એ કે જો દરેક મનુષ્ય ઉપરની બાબતોને અનુસરીને જીવન વ્યતીત કરવા લાગે તો દુનિયામાં કોઈને કોઈ પર વિશ્વાસ ન રહે. કોઈ પણ સમયે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારપીટ કરી શકે છે. દગો કરી શકે છે, જુઠું બોલી શકે, અપ્રામાણિક્તા અને ચોરી કરી શકે છે, કોઈ પણ સ્ત્રી સાથે આનંદ-વિહાર કરી શકે છે, ગમે તે રીતે જીવન પસાર કરીને ધનસંગ્રહ કરી શકે. એને ન ભગવાનનો ડર, ન ધર્મ પર વિશ્વાસ, ન સમાજના નીતિનિયમો કે મર્યાદાઓનું પાલન ! આમ થાય તો આખા જગતની, સમગ્ર મનુષ્યસમાજની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે. સુખશાંતિ ચાલી જશે અને મનુષ્ય પ્રાણીથી પણ હલકી કક્ષાનો બની જશે.
ઉચ્ચ સાધના માટે કોઈ આદર્શ કે પ્રતીક લક્ષવામાં નહીં આવે, તો મનુષ્યનો વિકાસ અટકી જશે અથવા તો પાશવી યોનિઓમાં કે દાનવી
"રત્નત્રયીનાં અજવાળાં
*
૨૮