________________
યોનિઓમાં ફર્યા કરશે. પછી તો સાધ્યને હાંસલ કરવાની વાત તો માનવી માટે અત્યંત દૂરની વાત બની જશે. મનુષ્યએ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઈશ્વરશ્રદ્ધાથી કરેલા વિકાસ પર પાણી ફરી વળશે. આ માનવજાતિ માટે કેટલી મહાન હાનિ ગણાય !
આ બધી બાબતોને લક્ષમાં રાખીને પરમાત્મા પર આસ્થા રાખવી તે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય ગણાય.
ઈશ્વરની સત્તા પર વિશ્વાસ ન કરવો એ તો પોતાની જાત પર વિશ્વાસ ન કરવા સમાન છે. જે મનુષ્ય પોતાની જાત ૫૨, પોતાના આત્મા પર વિશ્વાસ રાખે છે, તેણે પોતાના પૂર્વજો (માતા, પિતા, પિતામહ વગેરે) પર વિશ્વાસ કરવો જ પડશે. જો પૂર્વજો પર તે વિશ્વાસ કરે છે તો પરમપિતા પરમાત્મા પર પણ તેણે અવશ્ય શ્રદ્ધા રાખવી જોઈએ. આથી ‘નંદીસૂત્ર’માં કહ્યું છે
“નવર્ડ નાપિયામો મળવ
-
“જગતના પિતામહ ભગવાન વિજયી હો.''
આ રીતે ઈશ્વરશ્રદ્ધા માનવીજીવનમાં અપૂર્વ ફળદાયી છે. જગતકલ્યાણમાં એ અત્યંત આવશ્યક અને સહાયક તત્ત્વ છે. આ જ શ્રદ્ધાના દોરને પકડીને તો કરોડો આસ્તિક પુરુષોએ પોતાની નૌકા સંસારસાગર પાર ઉતારી છે અને ઉતારશે.
ઈશ્વરશ્રદ્ધાના અજવાળે
O
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : સંવત ૨૦૦૬, કાર્તિક વદ ૧
૨૯