________________
પરમાત્માનું નિવાસસ્થાન
ઈશ્વરશ્રદ્ધાની મહત્તા જાણ્યા બાદ હવે ઈશ્વરનો વાસ ક્યાં છે તે વિશે જોઈએ.
કેટલીક વ્યક્તિઓ ઈશ્વર (સિદ્ધ) માટે ઘણા ચિત્રવિચિત્ર પ્રશ્નો ઊભા કરે છે.
કોઈ કહે છે, “ઈશ્વર ક્યાં છે ? આંખોથી તો નજરે પડતો નથી, તો પછી એમાં શ્રદ્ધા ટેકવવી કઈ રીતે ? તે ક્યાં વસે છે ? જ્યાં સુધી એના નિવાસસ્થાનની જાણકારી ન હોય ત્યાં સુધી તેને સ્વીકારવાની કે શ્રદ્ધા રાખવાની વાત કેમ વિચારી શકાય ?'
આ પૂર્વે આપણે વિચારણા કરી કે નિશ્ચયનયની દૃષ્ટિએ સમસ્ત જીવોમાં ઈશ્વરનો વાસ છે. કોઈ એની ભીતરમાં સુષુપ્તપણે રહેલા ઈશ્વરતત્ત્વને જાગ્રત કરે છે, તો કોઈ જાગ્રત કરતા નથી. આ વિશે જુદાજુદા યુગમાં લોકોએ જુદીજુદી રીતે આ સવાલ ઉઠાવ્યો છે. એક ઉદાહરણ જોઈએ –
એક જ્ઞાની અને અત્યંત ધર્માત્મા રાજવી હતા. તેણે એક વાર પોતાના પંડિતોને ચાર પ્રશ્નો પૂક્યા, પરંતુ કોઈ તે પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. તેણે દેશ-દેશાંતરમાં ઢંઢેરો પિટાવ્યો કે જે વ્યક્તિ મારા આ ચાર પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર ૪
હું રત્નત્રયીનાં અજવાળાં
૩૦
થી