________________
--------૦૯-૯-૯ તિવિર્દ સિવિલું માં વાયા, or ----------- આપીશ નહિ..
પ્રશ્ન : તિવિદ તિવિષે લખેલું છે, તો ક્રમ પ્રમાણે પહેલા તિવિë શબ્દનો અર્થ બતાવવો જોઈએ ને ? એને બદલે પહેલા તિવિહેvi નો અર્થ કેમ બતાવ્યો ? ખરેખર તો સૂત્ર આ પ્રમાણે હોવું જોઈએ કે ન કરેમિ, રમિ, સમજુના િ.. मणेणं वायाए काएणं - ઉત્તર : તમારી વાત સાચી છે, છતાં આ જે ક્રમબદલી કરી છે, તે એટલું દર્શાવવા માટે કે મન-વચન-કાયા હોય તો જ કરણ-કરાવણ-અનુમોદન થઈ શકે.
આ આપણે સંક્ષેપથી અર્થ જોયો. હવે આનો ઉંડાણપૂર્વક અર્થ વિચારીએ. (૧) મનથી કોઈપણ સાવદ્યયોગ કરવો નહિ. (૨) મનથી કોઈપણ સાવદ્યયોગ કરાવવો નહિ. (૩) મનથી કોઈપણ સાવદ્યયોગ અનુમોદવો નહિ. (૪) વચનથી કોઈપણ સાવદ્યયોગ કરવો નહિ. (૫) વચનથી કોઈપણ સાવદ્યયોગ કરાવવો નહિ. (૬) વચનથી કોઈપણ સાવદ્યયોગ અનુમોદવો નહિ. . (૭) કાયાથી કોઈપણ સાવદ્યયોગ કરવો નહિ. - (૮) કાયાથી કોઈપણ સાવદ્યયોગ કરાવવો નહિ.
(૯) કાયાથી કોઈપણ સાવદ્યયોગ અનુમોદવો નહિ. આ રીતે નવકોટિના પચ્ચકખાણ થાય છે. પ્રશ્ન : આ વાત બરાબર નથી. અમે તો એવું માનીએ છીએ કે .: (૧) કાયાથી સાવદ્યયોગ કરવો નહિ.
(૨) વચનથી સાવદ્યયોગ કરાવવો નહિ. (૩) મનથી સાવદ્યયોગ અનુમોદવો નહિ.
અને આ વાત જ બરાબર લાગે છે દા.ત. આધાકર્મીભોજન રૂપ સાવદ્યની વિચારણા કરીએ તો એ તો કાયાથી જ થઈ શકે ને? મનથી આધાકર્મી ખવાતું હશે ? ભાષા બોલવાથી આધાકર્મી ખવાતું હશે ? એ તો હાથ વડે આધાકર્મીના કોળીયા મોઢામાં મૂકીએ તો જ આધાકર્મી ખવાય ને ?
એમ કોઈની પાસે આધાકર્મી બનાવડાવવું છે, તો એ વચનથી જ બનવાનું. “તમે મને આટલી વસ્તુઓ બનાવી આપશો?” એમ વચનો બોલીએ, એટલે સામેનો માણસ તરત જ આધાકર્મી બનાવી આપે. પણ કાયાથી આધાકર્મી બનાવડાવવું શી રીતે? રાજલ - - - - - - - - - - ૯૯ - - - - - - - - -