________________
જ
- - - મહાવતો
આ
જે
પણ “કોણ વારે ઘડીએ પુછવા જાય ?..
એ તો મારો મિત્ર છે. એને પુછવાની કશી જરુર નથી. એની બધી વસ્તુ મારી જ ગણાય...
એને પૂછશું તો ના પાડશે, મોઢું બગાડશે, એને બદલે પૂછ્યા વિના જ વસ્તુ લઈ લો, પછી પડશે એવા દેવાશે...
એ તો ઘણો નાનો છે, એની વસ્તુ લેવા માટે મારે પૂછવું પડે? હું તો વડીલ છું. એનો ગુરુ છું...
આજે તો એને હેરાન કરીએ, ભલે એ વસ્તુ શોધતો ફરે...”
આવા આવા રાગથી - દ્વેષથી કે શક્તિનિગૂહનથી જો માલિકને પુછવાની ઉપેક્ષા કરે તો નક્કી અદત્તાદાનનો દોષ લાગે જ અને ત્રીજા મહાવ્રતનો ભંગ થાય.
ફરી ફરીને એ વાત યાદ કરવી કે ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતનાપૂર્વક રજા વિના કોઈની વસ્તુ લે, તો જ એ નિર્દોષ છે. બાકી તો એ દોષનો ભાગીદાર બને જ છે.
જીવ-અદત્તમાં શુદ્ધ અપવાદ :
(ક) ગ્લાન સાધુનું B.P. એટલું બધું ઘટી ગયું હોય કે કાચું મીઠું અચિત્ત કરાવવા જેટલો સમય પણ જો રાહ જોવામાં આવે તો એનો કાળધર્મ થાય. આવી સ્થિતિમાં ના છુટકે, કકળતા હૈયે કાચા મીઠાનું પાણી પણ એને જલ્દી વાપરવામાં આપે. એ રીતે એ બચી જાય પછી એની પાસે પ્રાયશ્ચિત્ત કરાવવામાં આવે. જો સમય હોય તો તો કાચા મીઠાને પાકું કરાવીને જ વપરાવાય. પણ આમાં મીઠાના જીવોએ પોતાને પી જવાની કે સંકેલવાની રજા આપી નથી જ, છતાં આવા અતિગાઢ કારણ હોય ત્યારે આ રીતે કરવામાં જીવ-અદત્ત દોષ ન લાગે.
(ખ) બાલ મુમુક્ષુને દીક્ષાની ઝાઝી સમજ ન હોય, પણ ગીતાર્થગુરને એમ લાગે કે “આ છોકરો કુંડળીના આધારે સારો, સંયમી, પ્રભાવક બનશે” અને વળી મા-બાપ વગેરેની સંમતિ હોય, હલના થવાનો કોઈ ભય ન હોય. તો એ બાલ મુમુક્ષુ કદાચ રડતો હોય તો પણ દીક્ષા આપી શકાય. જેમ બાળકને રોગ દૂર કરવા માટે પરાણે કડવી દવા પીવડાવાય, પરાણે ઈંજેક્શન અપાય, એમ બાળકને આવી સ્થિતિમાં દીક્ષા અપાય, તો પણ જીવ-અદત્તનો દોષ ન માનવો.
(ગ) વૃદ્ધ સાધુનું વજન વધારે હોવાથી અને ડોળી વાપરવી અનિવાર્ય હોવાથી માણસો પાસે એમની અનિચ્છા છતાં વધુ વજન ઉંચકાવવું પડે, પણ એ વખતે વિહાર ઓછો કરાવવો, પૈસા થોડા વધારે અપાવવા, એની અનુમોદના કરવી... આ રીતે - - - - - - - - ૯૯૯૯૯-૨ ૧૪૮ - ૯૯૦૯- જાજ જ જાત