________________
ના-નાક-ક-લ-લનાલન મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ઃ ભાવતાઓ અલ-------*
હાથ-પગ-પેટ વગેરે જે ભાગ ઉપર ખંજવાળ આવે એ ભાગ ઉપર ખંજવાળતા પહેલા, ભીનું લુંછણિયું જમીન પર, દોરી પર, સળીયા પર સુકવવાનું હોય ત્યારે, માત્રાનો પ્યાલો હાથમાં લેતી વખતે, એમાં માત્ર કરતી વખતે, માત્રુ પરઠવ્યા બાદ એ લુંછીને યોગ્ય સ્થાને મુકતી વખતે, આડા પડ્યા પડ્યા પડખું ફેરવવું હોય, પગ લાંબા કરવા હોય, સંકોચવા હોય ત્યારે, કબાટ-બારી-બારણા ખોલતી વખતે કે બંધ કરતી વખતે, ગોચરી માંડલીના પડદા ખોલતી વખતે કે બંધ કરતી વખતે, વંદનાદિ કરવા માટે કોઈકના અંગુઠાને અડવાનું હોય કે જમીન પર હાથ મુકવાનો હોય ત્યારે, પુસ્તકાદિ વાંચતી વખતે જયારે પાનું ફેરવવાનું હોય ત્યારે, ચોમાસામાં સવારે ઉઠીને પાટ ઉપરથી જમીન પર પગ મુકવાનો હોય ત્યારે, રાત્રે કે કારણસર બપોરે સંથારો પાથરતી વખતે...
આવી ઢગલાબંધ બાબતો વખતે તે તે સ્થાન, તે તે વસ્તુ પહેલા બરાબર આંખેથી જોવાની જે જગ્યાએથી વસ્તુ પકડવાની હોય કે જેટલા સ્થાનમાં વસ્તુ મુકાવાની હોય, એ બધું ધ્યાનથી જોઈ લેવું અને પછી જીવ ન દેખાય તો બરાબર પૂજવું એ પછી જ વસ્તુ લેવી-મુકવી.
આ રીતે કરીએ તો ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોની રક્ષા થાય. આ રીતે ન કરીએ તો ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસા થાય.
(આ અંગે ઘણી જ મહત્ત્વની બાબતો જાણવી હોય, તો અષ્ટપ્રવચનમાતા પુસ્તકની આદાન ભંડ... સમિતિનું લખાણ ખાસ વાંચવું.)
ઈર્યાસમિતિ : સૂર્યનો પ્રકાશ જ્યાં પડતો હોય એવા રસ્તા ઉપર, દિવસ દરમ્યાન જ્યાં લોકોની અવરજવર થતી હોય એટલે કે જે રસ્તો વપરાશવાળો હોય, કાચો - અણખેડ્યો રસ્તો ન હોય એવા જ રસ્તા પર જીવોની રક્ષા માટે બરાબર નીચે જોઈને ચાલવું એ ઈર્યાસમિતિ છે.
એક ગામથી બીજે ગામ વિહાર કરીએ ત્યારે, સવારે-બપોરે કે સાંજે ગોચરી-પાણી લેવા જઈએ ત્યારે, દર્શન કરવા જઈએ ત્યારે, સ્પંડિલ જઈએ ત્યારે, માત્રુ કરવા અને માત્રુ કરીને પ્યાલો પરઠવવા જઈએ ત્યારે, ગુરુને તથા વડીલોને વંદનાદિ કરવા જઈએ ત્યારે, જ્ઞાનભંડારમાં કે પાઠ લેવા અન્ય ઉપાશ્રયમાં જઈએ ત્યારે,... ૪૯ ૯ ૪૯ - - - ૨૯૯ - - -
- - - -