Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 320
________________ હ-ક-લ-----મહાવતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ ------------ પણ સમજી જ લેવી. પંચમ મહાવ્રતમાં પાંચ ભાવનાઓ કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન કરતા ફરમાવે છે કે स्पर्शे रसे च गन्धे च स्मे शब्दे च हारिणि । पञ्चस्वितिन्द्रीयार्थेषु गाढं गाय॑स्य वर्जनम् । एतेष्वेवामनोज्ञेषु सर्वथा द्वेषवर्जनम् । आकिञ्चन्यव्रतस्यैवं भावनाः पञ्च कीर्तिताः । સ્પર્શ અનુકૂળ સ્પર્શનો સંપર્ક થાય, તો એમાં ગાઢ આસક્તિ ન કરવી અને પ્રતિકૂળ સ્પર્શનો સંપર્ક થાય તો એમાં સર્વપ્રકારે દ્વેષનો ત્યાગ કરવો એ પ્રથમ ભાવના છે. ડામરનો કે સીમેન્ટનો રસ્તો હોય તોય શું? ને કાંકરા - કાંટાવાળો રસ્તો હોય તોય શું? ખબર પણ ન પડે એ રીતે લોચ કરનાર લોચ કરે તોય શું? ને આંચકાઓ લાગે તોય શું? જાડો-કોમળ સંથારો મળે તોય શું ? ને ખૂંચે એવો સંથારો મળે તોય શું ? લીસા - પાતળા કપડા મળે તોય શું ? ને ચામડી ફાડીને લોહી કાઢી નાંખનારા કપડા મળે તોય શું ? કોઈનો આશ્વાસન આપતો હાથ શરીર પર ફરે તોય શું? ને ગાલ પર બે તમાચા પડે તોય શું ? શરીર પર સુગંધી દ્રવ્યો ચોપડવામાં આવે તોય શું ? અને વરસાદાદિમાં શરીર કાદવથી ખૂબ ખરડાય તો ય શું ? - વજનમાં હલકો-નાનો ઘડો મળે તોય શું? ને ઘણા પાણી ભરેલો મોટો ઘડો ઉંચકવો પડે તોય શું ? ગોચરી ઉંચકવાનો અવસર જ ન આવે તોય શું? ને પુષ્કળ વજનથી હાથ રહી જાય, લોહી ગંઠાઈ જાય તોય શું? માંદગીમાં માત્ર બામ લગાડવાથી પતી જાય તોય શું ? ને શરીરમાં ૧૦-૨૦ ઈજેક્શનોની સોંય ઘોંચાય તોય શું? નેઈલકટર વડે નખ વ્યવસ્થિત સમારાય તોય શું ? ને ભૂલથી કાચી ચામડી પણ ઉતરડાઈ જાય તોય શું ? હોઠ એકદમ સુંવાળા રહે તોય શું? ને શિયાળાદિમાં ચામડી ઉખડે-લોહી નીકળેબળે તોય શું? પગ સારા-સુંવાળા હોય તોય શું? ને એમાં તિરાડો પડે, ચામડી ઘસાય, લોહી નીકળે તોય શું?

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338