Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 309
________________ - જે ૯૯ - ૦૯૯૯૯ મહાવ્રતો જ જજ જે - ૦૯૦૯૯૯ - - - વધુ રોકાવાનું થાય તો મુદત લંબાવાની વિનંતી કરાય. કારણ વિના પણ કદાચ ત્યાં રોકાવાની ભાવના થાય તો પણ વિનંતિ કરાય, પણ એમાં કોઈપણ બહાના ઉભા કરવા એ બરાબર નથી. ચોખ્ખું કહેવું જોઈએ કે “અમારે કોઈ વિશેષ કારણ નથી. માત્ર આ સ્થાન અનુકૂળ લાગવાથી રોકાવાની ભાવના છે.” એ પછી જો રજા આપે તો રહેવાય. પણ જો રજા ન મળે તો તરત નીકળી જવું. રજા પણ સહર્ષ અપાયેલી હોવી જોઈએ. શરમમાં નાંખીને રજા મેળવવી એ બિલકુલ યોગ્ય નથી. પ્રશ્ન: પહેલાના જમાનામાં તો સાધુઓ ગૃહસ્થોના ઘરોમાં રહેતા હતા, એટલે એ વખતે ઉપર મુજબ બધી વિધિ જાળવવી પડે એ બરાબર પણ આજે તો સાધુઓ ઉપાશ્રયમાં રોકાય છે, એ ઉપાશ્રય કોઈ એકાદની માલિકીનો નથી. ઘણાએ ભેગા મળીને એ બનાવેલો છે. ટ્રસ્ટીઓ તો માત્ર વહીવટકર્તા છે. તેઓએ પૈસા આપ્યા હોય તો પણ એ માલિક નથી. તો પછી આપણે એ ટ્રસ્ટીઓની રજા લેવાની શી જરુર? એ દાદાગીરી કરે, સંઘનો બાપ થઈને બેસી જાય એ થોડું ચાલે ? એવા ટ્રસ્ટીઓને તો સીધાદોર કરી દેવા જોઈએ. એ ઉપાશ્રય સંઘનો છે, તો એના ઉપર આપણો પણ હક છે. એ ના પાડે એટલે આપણે નીકળી જવાનું ? એ ના પાડે તો નહિ રહેવાનું ? આ વળી કેવું ગણિત ? ઉત્તર : ખોટું ન લગાડીશ, પણ તે જે ભાષા વાપરી છે, એ સાધુની ભાષા જ નથી. આ તો સંસારીઓની ભાષા છે. તને એટલો તો ખ્યાલ હોવાં જ જોઈએ કે સાધુ તો આવા કોઈપણ ઉપાશ્રયાદિનો માલિક, હકદાર, ભાગીદાર બની ન શકે. એટલે આપણે જો આવી વાત કરીએ કે “આ સંઘના ઉપાશ્રયમાં આપણો હક છે, આપણો ભાગ છે.” તો એ આપણી જ દાદાગીરી કહેવાય, અણસમજ કહેવાય. હવે જરાક નીચેના મુદ્દાઓ વિચારવા જેવા છે. (ક) ઉપાશ્રય બનાવવા માટે ભલે ગમે તે દાતાઓએ પૈસા આપ્યા હોય, પણ પછી જો એ ઉપાશ્રય શ્રી સંઘને સોંપવામાં આવેલો હોય અને સંઘના સભ્યોએ એનો વહીવટ ચોક્કસ વ્યક્તિઓને સોંપેલો હોય તો સીધી વાત છે કે એ ટ્રસ્ટીઓ જ એના માલિક જેવા ગણાય. તેઓ રજા ન આપે તો ત્યાં રહી ન શકાય એ સ્પષ્ટ છે. (ખ) ધારો કે એ ટ્રસ્ટીઓ પેઢી-દરપેઢીથી વારસામાં ટ્રસ્ટી બનેલા હોય, સંઘના લોકોને એ ઈષ્ટ ન પણ હોય... પણ તો ય તેઓ જ માલિક ગણાય. “એ ખરાબ છે, ગમે તેમ વર્તે છે” એ બધી વાત સાચી હોય તો પણ એટલા માત્રથી એ માલિક મટી ન જાય. ધારો કે ભૂતકાળમાં ગામનો મુખી-સરપંચ લોકો પર થોડો-ઘણો અત્યાચાર કરીને પૈસા કમાઈ ચૂક્યો હોય... એના બે-ત્રણ બંગલાઓ હોય... હવે સાધુઓ એના એકાદ ખાલી મકાનમાં ઉતરવાની રજા માંગે અને પેલો ના પાડે તો સાધુઓથી એમ તો ન જ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338