Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 276
________________ જ્બો...વિતો...હાલો...માવઓ... કોઈકને સવારનો જ વિહાર ગમતો હોય, સાંજનો વિહાર ન ગમતો હોય તો “વચ્ચે કોઈ જગ્યા નથી મળતી, માટે સવારે જ પાંચ-છ કિ.મી. વધારે ચાલવું પડશે. પછી સાંજે વિહાર નહિ કરીએ...” વગેરે બહાના કાઢી સાંજનો વિહાર ઉડાવે. કોઈકને વળી સાંજનો જ વિહાર ફાવે, તો એ એમ કહે કે “સવારે વિહાર કરીએ તો થાકના કારણે આખો દિવસ બગડે છે, સ્વાધ્યાય થતો નથી. એના કરતાં સાંજે જ વિહાર કરીએ તો જઈને આરામ જ કરવાનો હોય એટલે આખો દિવસ ન બગડે. બીજા દિવસે સવારે સ્વસ્થ થઈ જઈએ... માટે સાંજનો જ વિહાર કરવો...' કોઈક પ્રમાદી સંયમીને એક કલાક કરતા વધારે ભણવું ન હોય, એટલે જ્યારે ગુરુ એને બે-ત્રણ કલાક પાઠ લેવાની સલાહ આપે ત્યારે અવનવા બહાના કાઢીને પણ એક કલાક કરતા વધારે તો પાઠ ન જ લે. એનો પ્રમાદ એને વધુ પાઠ લેતા અટકાવે... આમ આ બધાં કાળની પ્રધાનતાની દૃષ્ટિએ ભાવજૂઠ બને. ,, માંડલીના કામમાં પણ કોઈક સંયમી ગણતરી કરે કે બીજા બધાને જે કામ સોંપાયા છે, એ અડધો-પોણો કલાકના કામો છે. જ્યારે મને જે કામ સોંપાયુ છે, એ અડધો-પોણો કલાકનું નહિ, પણ એક-સવા-દોઢ કલાકનું છે.... તો હું શા માટે વધુ સમયવાળું કામ કરું ?..” અને એ સંયમી માંદગીના કે સ્વાધ્યાયના કે અશક્તિ વગેરેના બહાના હેઠળ એ કામ રદ કરવા પ્રયત્ન કરે. આમાં પણ કાળની પ્રધાનતાએ જ ભાવજૂઠ ઉત્પન્ન થાય છે. જો બધા સંયમીઓને એના જેટલું જ મોટું કામ સોંપાતુ હોત તો આ સંયમી પણ એટલું કામ કરત. (૪) ભાવપ્રધાનતાએ ભાવજૂઠ : મનમાં ગુર્વાદિ પ્રત્યે અરૂચિ-અસદ્ભાવ થયા હોય છતાં એની આલોચના ન કરે, (પ્રાયશ્ચિત્તદાતા ગુર્વાદિને ન જણાવે). ગુરુ પૂછે કે ‘તને મારા પ્રત્યે કંઈક અસદ્ભાવ છે ? જે હોય તે કહી દે, ચિંતા ન કરીશ.” પણ સંયમી ગમે તે રીતે એ વાત છુપાવે. “આપ તો મારા ઉપકારી છો, આપને માટે મને અસદ્ભાવ હોય જ નહિ.” એમ કહે. અહીં પોતાના ખરાબભાવોને છુપાવવા માટે એ જૂઠનો આશરો લે છે, ભાવજૂઠ સેવે છે. એમ મનમાં જાગતા વિકારો, લાલસાઓ અંગે પણ સમજી લેવું. રુક્મિણી સાધ્વીએ પોતાના વિકારભાવને છુપાવવા માટે જૂઠ બોલ્યું ને ? કે “એ રાજકુમાર કોણ હતો, એ જોવા માટે જ મેં એ દૃષ્ટિપાત કરેલો. મને કોઈ વિકાર હતો જ નહિ.” એમ કોઈપણ પ્રત્યે અંદ૨ ઈર્ષ્યા-ક્રોધાદિ ભાવ ચાલતા હોય, છતાં બહાર એની સાથે ગાઢ મૈત્રી, પ્રશમભાવ હોવાનો દેખાવ કરીએ, એવા શબ્દો ઉચ્ચારીએ... આ બધું પણ ભાવની પ્રધાનતાએ ભાવજૂઠ છે. જેમ પોતાના ભાવોની પ્રધાનતાએ ભાવજૂઠ ઉત્પન્ન થાય, તેમ બીજાના ભાવોની *** ૨૭૫ ** *****

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338