________________
જ - ૯ - - ૯૯ - - - - - જલન મહાવ્રતો કે-૯૯૯ - - - - - - - - - - - એને રાગ-દ્વેષ ન હોય, શક્તિનિગૂહન પણ ન હોય અને છતાં કારણસર નવવાડોથી વિપરીત વર્તન કરે.. એ અપવાદમાર્ગ છે.
એટલે મુખ્ય બ્રહ્મચર્યમાં કોઈ અપવાદ નથી.
પણ બ્રહ્મચર્યના પાલન માટે જરુરી નવવાડોમાં અપવાદ હોઈ શકે છે. એ રીતે ચતુર્થમહાવ્રતમાં અપવાદ સંભવે છે.
ચતુર્થ મહાવ્રતની નવવાડોમાં શુદ્ધ અપવાદ:
(ક) ઉપાશ્રય સંસક્ત હોય, પણ બીજી કોઈ રહેવાની જગ્યા ન મળે અથવા તો વધુ દોષવાળી બીજી જગ્યા મળે, તો છેવટે ઓછા દોષવાળા ઉપાશ્રયમાં રહેવું પડે. દા.ત. એક ઉપાશ્રય એવો કે જેમાં નીચે જ બેનો રહેતા હોય, નીચે જ સાધ્વીજીઓ રહેતા હોય. બીજે ઉપાશ્રય એવો કે જેમાં ઉપાશ્રયમાં કોઈ ન હોય પણ બારીમાંથી આજુબાજુના ફૂલેટોમાં દૃષ્ટિ પડતી હોય... હવે ત્રીજો ચોખ્ખો ઉપાશ્રય ન મળે, તો આ દષ્ટિપાતવાળા ઉપાશ્રયમાં રોકાય. પણ એ બારીવાળા સ્થાન પાસે ન બેસે, બારીઓ બંધ રખાવે કે ત્યાં પડદા રખાવે... આ બધી યતના કરે.
(ખ) વિહારમાં તો બે ઉપાશ્રય મળવા અઘરા પડે. ધારો કે મોડી સાંજે એક જ જગ્યાએ સાધુ-સાધ્વીના ગ્રુપો જુદા-જુદા સ્થાનેથી વિહાર કરીને આવ્યા. મોડું થઈ ગયું હોવાથી આગળ વિહાર કરી શકાય એમ ન હોય. બીજા સ્થાન માટે તપાસ કરવા છતાં સ્કુલ કે કોઈનું ઘર વગેરે કંઈ ન મળે... ના છૂટકે ત્યારે એક જ ઉપાશ્રયમાં ઉપર-નીચે કે આજુ-બાજુના હોલમાં બંને ગ્રુપે રહેવું પડે. પણ એ વખતે મુખ્ય સાધુ મુખ્ય સાધ્વી સાથે વ્યવસ્થા ગોઠવી દે કે “તમારે માત્રુ પરઠવવા અમુક જગ્યાએ જવું. અમે અમુક જગ્યાએ જશું. તથા વૃદ્ધ-પરિપક્વ સાધ્વીજીને માત્રુ પરઠવવા મોકલવાં. અમે પણ એવા જ પરિપક્વ સાધુને માત્રુ પરઠવવા મોકલશું...” વગેરે શક્ય એટલી યતના પાળે.
(ગ) ગીતાર્થ-સંવિગ્ન આચાર્યદેવ જાહેરમાં બેસી સાધ્વીઓની કે સ્ત્રીઓની આલોચના સાંભળે, સાધુ પણ પોતાના બા-બેન મળવા આવે તો ગુરુની રજા લઈ ઔચિત્ય જાળવવા અમુક સમય એમની સાથે બેસે. સાથે કોઈક ભાઈને બેસાડે, બેનબાની સામે જોયા વિના નીચી નજરે વાતો કરે. ક્યારેક જોવું પડે તો પણ તરત પાછી નજર ખેંચી લે.
(ઘ) બેનો અમુક જગ્યાએ બેઠા હોય, પછી જતા રહ્યા હોય. પણ સાધુ પાછળથી આવેલો હોવાથી એને એ વાતની ખબર ન હોય અને સાધુ ૪૮ મિનિટની અંદર જ એ જગ્યાએ બેસે, તો પણ એને ખબર જ ન હોવાથી, પ્રમાદાદિ બિલકુલ ન હોવાથી દોષો નથી.
જા જા
જા
જા
જ
-
૨૩૦
જી
-જ
-