________________
જલ
જજ જ
આજનું પ્રથમ મહાવત
જ
છે
જાય. આ બધી હિંસા રાગભાવથી પ્રેરાઈને થયેલી અપૂકાય હિંસા ગણાય.
(ખ) રસ્તામાં ચાલતી ગાડીને લીધે ખાબોચિયાનું ગંદુ પાણી મોઢાદિ પર ઉડે અને સાધુ એને અરુચિ-દ્વેષથી પ્રેરાઈને લૂંછી નાંખે.
(ગ) રસ્તો થોડોક ફરીને જતો હોય છતાં એ ચોખ્ખા રસ્તે આગળ જવાને બદલે પાણી ઢોળાયેલા રસ્તે, ખાબોચિયાદિવાળા રસ્તે આગળ વધે, એમાં વધારે ચાલવું ન પડે, એવો એકમાત્ર આળસભાવ જ મુખ્ય ભાગ ભજવતો હોય, ઘરોમાં નિર્દોષ ઉકાળેલું પાણી મળતું હોવા છતાં ઘરે ઘરે ફરવાના કંટાળાને કારણે આંબિલખાતાદિમાંથી જ ઉકાળેલું પાણી વહોરી લે. નિષ્કારણ હોડી વગેરેમાં બેસીને મોટો માર્ગ ટૂંકો કરી દે.
તેઉકાયઃ
(ક) આસક્તિથી પ્રેરાઈને ઠંડુ દૂધ વગેરે ગરમ કરાવડાવે, શીરો વગેરે બનાવડાવે, કોઈએ સાધુ માટે બનાવેલો હોય તો એ રાગભાવથી (જાણવા છતાંય) વહોરે, ભક્તોને ગાઢ કારણાદિ વિના જ ફોન કરાવે, સ્વયં મોબાઈલાદિનો ઉપયોગ કરે.
(ખ) કપડાને દીવો લાગી જવાથી કપડો બળતો દેખાય એટલે ઝટઝટ એને બુઝવવા માટે ઝાટકા લગાવે..
(ગ) પોતાની કે બીજા સાધુની માંદગીમાં અનુપાન રૂપે જે વસ્તુઓની જરૂર હોય, તો માટેનો પ્રયત્ન સ્વયં ન કરે, ઘરે ઘરે એની તપાસ ન કરે અને સીધું જ કોઈકને કહી દે કે “જરા આ વસ્તુ બનાવી દેજો ને ?”
વાયુકાયઃ
(ક) પવનની મસ્તી માણવા માટે બારી-બારણાદિ ખોલે, જો બારી-બારણા ઓછા હોય તો ટ્રસ્ટીઓ દ્વારા નવા બારી-બારણા ભીંતમાં મુકાવડાવે. પંખો રાખે કે પૂંઠાદિથી પંખો ખાય અને એ રીતે કોઈપણ હિસાબે મસ્તીથી ઉંઘવા મળે એ માટે પવન ઉત્પન્ન કરે. - (ખ) શરીરાદિ પર ચડી ગયેલા કીડી વગેરે જંતુઓ જલ્દી દૂર ન થતા હો તો અરૂચિ થાય, દ્વેષ થાય, મચ્છરોના વારંવાર ચટકાથી ત્રાસ થાય અને એટલે ઓઘા દ્વારા ઝાપટ લગાવે. કપડા વગેરે પર પણ ઘણી બધી જીવાતો ચડી ગઈ હોય, એને દૂર કરવાનો પ્રયત્ન થોડોક કરે, છેવટે વારંવાર જીવાતો દેખાવાથી ગુસ્સે થઈ કપડાને જોરથી ખંખેરે.
(ગ) વિહારાદિ વખતે કપડો સંકોચીને રાખવાની ઝાઝી દરકાર ન કરે, કપડા સુકવવા મૂકેલા હોય તે ઉડ્યા કરે. નવરાશ મળે, કોઈ કહે ત્યારે કપડા નીચે ઉતારે.
વનસ્પતિકાય
(ક) આસક્તિ હોવાથી કેરીનો રસ વગેરે સ્પેશ્યલ આપણા માટે તૈયાર કર્યા હોવાની જાણ હોવા છતાં પણ વાપરે, આસક્તિના કારણે જ સૂકા શાક મળે તોય ન જ -- - - - -
- - ૧૪૯ - - - - - - - - - - - - - - -