________________
શાસનસેવાનાં કાર્યો
[૩૧] " જમનાદાસભાઈ! તમને શું લાગે છે?” ખીમચંદભાઈએ પ્રશ્ન કર્યો.
“કેમ! શા ઉપરથી આમ પૂછવું પડે છે?” જમનાદાસભાઈએ આશ્ચર્ય બતાવ્યું.
આ પાલણપુરવાસીઓને ઉત્સાહ જેને? મહારાજશ્રી માટે ભારે પ્રેમ છે બધાને. જુઓને કેવું સુંદર સામૈયું કર્યું. આબાલવૃદ્ધ બધાને ઉત્સાહ તે ઉભરાઈ જાય છે.” ખીમચંદભાઈએ ખુલાસે કર્યો.
“પણ એ તે મહારાજશ્રી વર્ષો પછી ગુજરાતને આંગણે પધારે છે તેથી પ્રવેશ મહત્સવ તે થાય જ.” જમનાદાસભાઈએ કહ્યું.
તમને ગમેતેમ લાગે પણ મને તે લાગે છે કે આ ભાઈએ મહારાજશ્રીને અહીં જ રેકી પાડશે. આપણી મનની મનમાં રહી જશે.” ખીમચંદભાઈએ પિતાની શંકા બતાવી.
અરે આપણે પચાસ જણ ઠેઠ આબૂ સુધી આવ્યા છીએ અને અહીં પણ વિનતિ માટે જ રોકાયા તે મહારાજશ્રી એ પણ વિચારશેને?”